ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિહાળશે મેચ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારતના પ્રવાસે


  • Published By :
  • Published Date : 2023-03-08 11:08:11

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાવાની છે. આ મેચ રમાતી હશે તે દરમિયાન બંને દેશોના વડાપ્રધાન પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હશે અને કદાચ બંને વડાપ્રધાન કોમેન્ટરી કરતા પણ દેખાઈ શકે છે. આ મેચને જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવવાના છે.  


આજે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત 

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી માર્ચે રાત્રીના સમય ગુજરાત આવી શકે છે. પીએમ મોદી 10 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી જશે. રાત્રી રોકાણ પીએમ ગવર્નર હાઉસ ખાતે કરવાના છે. ઓસ્ટ્રેલિયાના પીએમ પણ આઠમી તારીખે અમદાવાદ પહોંચી શકે છે. 9 માર્ચે ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને મેચ નિહાળશે. લગભગ બે કલાક સુધી બંને દેશના વડાપ્રધાન મેચ જોઈ શકે છે. 


અનેક સ્થળોની ઓસ્ટ્રેલિયાના પીએમ લેશે મુલાકાત 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ચાર દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાતના પ્રથમ દિવસે અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જે બાદ રાજભવનની મુલાકાત લેવાના છે. પ્રવાસના બીજા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને નિહાળી શકે છે. જે બાદ મુંબઈ જવા રવાના થશે અને રાત્રે દિલ્હી ખાતે પહોંચી જશે. પ્રવાસના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે જ્યાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હાજર રહેશે. 


મેટ્રોના સમયમાં કરાયો છે ફેરફાર 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને લઈ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. મેટ્રોના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. 9 થી 13 માર્ચ સુધી ચાલનાર આ મેચને પગલે મેટ્રો સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. ઉપરાંત વધારે સુવિધા મળી રહે તે માટે 12 મિનીટના અંતરે મેટ્રો ટ્રેન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.        







21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.