ટામેટા બાદ ડુંગળીના ભાવમાં થશે ભડકો! જાણો ભાવ વધારા પાછળ કયા કારણો હોય છે જવાબદાર?


  • Published By :
  • Published Date : 2023-08-05 12:13:07

છેલ્લા ઘણા સમયથી ટામેટાના ભાવમા વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાના ભાવમાં વધારો થવાથી લોકો ટામેટાના ઉપયોગને ટાળી રહ્યા છે. ન માત્ર ટામેટાના પરંતુ અનેક શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટામેટાએ તો લોકોને લાલ આંસુએ રોવડાવ્યા છે પરંતુ આવનાર સમયમાં ડુંગળીના ભાવ પણ તમને રડાવશે તેવું લાગી રહ્યું છે. વર્ષમાં ચોક્કસ સમય આવે જ છે જ્યારે ડુંગળીની અછત થવા લાગે છે અને ડુંગળીના ભાવ સોનાની લગડી જેવા થઈ જાય છે. આવનાર સમયમાં ડુંગળીના ભાવમાં ભડકો થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. 



હાલ 30 રુપિયાની આસપાસ મળતી ડુંગળી આવનાર સમયમાં બની શકે છે મોંઘી 

કયા કારણોસર ડુંગળીના ભાવમાં વધારો થઈ શકે છે તેની વાત કરીએ તો ખરીફ પાકનું વાવેતર ઘટ્યું છે. ડુંગળીનું ખરીફ વાવેતર ઘટ્યું છે જેના કારણે આવતા મહિને ડુંગળીના ભાવ વધી જશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. હાલ બજારમાં ડુંગળીનો સરેરાશ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ બોલાય છે. પણ તે મહિના પછી ક્યાંય પહોંચી જશે. આપણે જાણીએ છીએ કે ચોમાસાની સીઝનમાં ક્યાંક અતિભારે વરસાદ તો ક્યાંક દૂષ્કાળ જેવી સ્થિતિને કારણે મોટાભાગની શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવ વધતા લોકોને દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જાવાની છે.



આ કારણોસર બજારમાં સર્જાઈ શકે છે ડુંગળીની અછત

બજારમાં ડુંગળીની ચોમાસા પાકની સપ્લાય સપ્ટેમ્બરની જગ્યાએ ઓગસ્ટ મહિનામાં જ ઘટવા લાગે તેવી સંભાવનાઓ છે. અને આ ડુંગળી પોતાનો ભાવ વધારવાની છે. આવું એટલા માટે થયું કારણ કે ઠંડીનો પાક વહેલા પાકી ગયો હતો. પછી ઉનાળા બાદ ચોમાસું આવી ગયું. એટલે થયું એવું કે ડુંગળી ચાર કે પાંચ મહિના જ સારી રહેવાની હતી પછી ડુંગળી બગડી જવાની હતી, ડુંગળી બગડી જવાના ડરથી જેની પાસે ડુંગળીનો જથ્થો હતો તે ખેડૂતો ડુંગળી વેચવા લાગ્યા જેના કારણે આ પરિસ્થિતિ સર્જાવાની છે. ઓગસ્ટ સપ્ટેમ્બર પૂરા થશે પછી ઓક્ટોબરમાં ચોમાસા પાકની આવક શરૂ થવાની છે ત્યાં સુધી ડુંગળીના ભાવ વધારે રહેવાના છે પછી જ ડુંગળીના પુરવઠામાં સુધારો થશે અને ડુંગળીના ભાવ ઘટવા લાગશે. એટલે કે બે મહિના હજુ ડુંગળીના ભાવ વધારે રહેવાના છે. અત્યારની વાત કરીએ તો ડુંગળીનો જથ્થાબંધ ભાવ બે મહિનામાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધી ગયો છે. બે મહિના પહેલા ડુંગળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ખાલી 950 રૂપિયા હતો. 



ભાવને કંટ્રોલ કરવા માટે સરકાર ડુંગળીના જથ્થાને બહાર લાવશે

હવે થવાનું છે એવું કે જેવો ભાવ વધવાનો છે એટલે ભાવને માપમાં રાખવા માટે સરકાર ડુંગળીને બજારમાં ઉતારશે. પોતાનો સાચવેલો જથ્થો સરકાર આ સમયમાં બજારમાં વેચી દેવાનો છે જેથી બજારમાં ડુંગળીનો ભાવ બહુ વધારે ન વધે. સરકાર પાસે કેટલી ડુંગળી છે તેની વાત કરીએ તો સરકાર પાસે હાલ 25 લાખ ટન ડુંગળી છે. અગાઉના વર્ષથી આ વર્ષે ડુંગળી પાંચ લાખ ટન વધારે છે. હવે ડુંગળીનું થોડું સામાન્ય ગણિત સમજી લઈએ. જો ડુંગળીમાં ઇન્ફ્લેશન રેટ – જે સપ્ટેમ્બર 2021 થી નકારાત્મક હતો, તે જૂન 2023માં વધીને 1.65 ટકાના સ્તરે પહોંચ્યો. ડુંગળીના મોંઘવારી દરમાં વધારો એ તેના બજારમાં ભાવ વધવાના છે અથવા વધ્યા છે તેવું દેખાડે છે. અત્યારે  દેશભરના સરેરાશ ડુંગળીનો ભાવ લગભગ 30 રૂપિયા પ્રતિ કિલોની હશે.



2022-23માં 25 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી

વર્ષ 2021ની શરૂઆતથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો નથી. ભારતે વર્ષ 2022-23માં રેકોર્ડ 25 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી, જે તેની અગાઉના નાણાકીય વર્ષ કરતા 65 ટકા વધારે છે. ભારત વિશ્વમાં ડુંગળીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને દેશના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાત 70 ટકાથી વધારે યોગદાન આપે છે. એક બીજો પાસો પણ એ છે કે જેમ ટામેટાને કારણે ખેડૂતોને ફાયદો થયો હતો તેમ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને પણ ભાવ વધવાથી, ડિમાન્ડ વધવાથી ફાયદો થઈ શકે છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!