રસ્તા પર પડતા ખાડા સત્તાધારી પક્ષને નથી દેખાતા? સાંભળો શું કહ્યું ભાજપના પ્રવક્તાએ જ્યારે દેવાંશી જોશીએ પૂછ્યો આ અંગે પ્રશ્ન?


  • Published By :
  • Published Date : 2023-07-11 16:12:15

અમદાવાદના રસ્તાઓ પોતાની ગુણવત્તાને કારણે એમ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અમદાવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ દર વખતની જેમ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. પહેલા વરસાદમાં પણ અનેક રસ્તાઓ પર ભૂવાઓ તેમજ ખાડાઓ જોવા મળતા હોય છે. રસ્તા પર પડેલા ભૂવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પરંતુ રસ્તા પર પડેલા ખાડા જાણે સત્તાધારી પક્ષને દેખાતા નથી તેવું લાગે છે. આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે જ્યારે દેવાંશી જોષીએ ડિબેટમાં રસ્તાને લઈ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે નાના બાળકોના ગાલ જેવા રસ્તા છે.

રસ્તાઓ સ્માર્ટ સિટીના દાવાને ખોટા સાબિત કરે છે

ગુજરાતમાં મેહુલો વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતું હોય છે પરંતુ સામાન્ય વરસાદને કારણે પણ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. અમદાવાદને સ્માર્ટ સિટી તરીકેનો દરજ્જો તો મળી ગયો પરંતુ અમદવાદના રસ્તાઓ તે દાવાને પોકળ સાબિત કરી દે છે. રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ભૂવાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ વાહનચાલકોના શરીરને પણ નુકસાન પહોંચે છે.


ભાજપના પ્રવક્તાએ કહ્યું 'નાના બાળકોના ગાલ જેવા રોડ છે'

રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે. અનેક એવા રસ્તાઓ છે જ્યાં પડેલા ખાડામાં ગાડીનો ગરકાવ થઈ જાય છે. નવા રસ્તાઓ પર પણ ભૂવા પડવાનો સિલસિયો જોવા મળે છે. સરકાર ખાડાનો કોઈ ઉકેલ લાવે તેવી માગ વાહનચાલકો કરી રહ્યા છે. લોકોને તો ખાડા દેખાય છે પરંતુ જ્યારે સરકારના પ્રતિનિધિને આ અંગે પૂછવામાં આવે છે ત્યારે તેમને જાણે ખાડા દેખાતા જ ન હોય તેવી વાતો કરે છે. ડિબેટમાં જ્યારે દેવાંશી જોશીએ આ મામલો ભાજપના પ્રતિનિધિને પૂછ્યો ત્યારે શૈલેષ પરમારે કહ્યું કે ભાજપ સરકારે આખા રાજ્યમાં નાના બાળકના ગાલ જેવા રોડ બનાવ્યા છે. ત્યારે રસ્તા પર પડતા ખાડા અને શૈલેષ પરમારના જવાબ પર તમે શું પ્રતિક્રિયા આપશો?   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.