Gir Somanathમા આરોગ્ય કેન્દ્રની કફોડી હાલત! દર્દીઓ થયા પરેશાન. બાંકડા પર થઈ રહી છે દર્દીની સારવાર!


  • Published By :
  • Published Date : 2024-09-12 16:37:07

સારૂં શિક્ષણ અને આરોગ્ય સારૂં મેળવવું એ નાગરિકોનો હક છે.. પરંતુ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી આરોગ્ય બધે હાલત ખરાબ થતી જઈ રહી છે. એક તરફ આપણે વિકાસની ઘણી વાતો કરીએ છીએ પરંતુ વિકાસની એવી તસવીરો અવાર નવાર સામે આવતી હોય છે જે આ દાવાને, આ વાતોને પોકળ સાબિત કરી દે છે.. રોજ એવી તસવીરો સામે આવે છે કે જેમાં દેખાય છે કે સામાન્ય જીવન જરૂરી સુવિધા પણ છેવાડાના માનવી સુધી પહોંચી શકી નથી. ગીર સોમનાથથી સામે આવેલા દ્રશ્યોની આજે વાત કરવી છે. 

બાંકડા પર બેસી વ્યક્તિને ચઢાવવામાં આવી રહ્યો છે બાટલો!

રાજ્યમાં એક તરફ રોગચાળો વકર્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગની પણ કડવી તસવીર સામે આવી છે. દર્દીઓને એટલી સારવાર નથી મળી રહી, બેડની સુવિધાઓ પણ નથી મળતી.. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માણસ બાંકડા પર બેઠો છે અને એને બાટલો ચઢાવવામાં આવી રહ્યો છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ગીર સોમનાથ જિલ્લાના તાલાળાનો છે. એટલું જ નહીં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પટાવાળા બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું છે એટલે કઈ હદે તંત્ર ખાડે ગયું છે.



આરોગ્યની સાથે સાથે શિક્ષણ ક્ષેત્ર પણ ખાડામાં ગયું!

મહત્વનું છે કે આવી પરિસ્થિતિ માત્ર ગીર સોમનાથની નથી પરંતુ અનેક જગ્યાઓની છે.. આરોગ્ય ક્ષેત્રમાં પણ ધાંધીયા છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ઉલ્લેખનિય છે કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં રસ્તાઓ નથી.. શિક્ષણ ક્ષેત્રમાં પણ અનેક ખામીઓ છે.. રસ્તા ખરાબ હાલતમાં છે અને છત્તા આપણે કહીએ કે વિકાસ જોરદાર છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે