વાવની પેટા ચૂંટણી માટે રાજકીય પાર્ટીએ કરી દીધી ઉમેદવાર શોધવાની શરૂઆત? જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-13 17:20:44

લોકસભા ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. પાંચેય વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના  ઉમેદવારની જીત થઈ. ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 થઈ ગયું છે. આવનાર 6 મહિનામાં ફરી એક વખત પેટા ચૂંટણી યોજાશે જેમાં વાવ માટે મતદાન થશે. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ અને આજે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારે વાવ વિધાનસભા બેઠક માટે કોણ ઉમેદવાર હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.  

વાવ વિધાનસભા બેઠક પર કોણ હશે ઉમેદવાર? 

વાવ વિધાનસભા પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપી દીધું છે. આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના રેખાબેન ચૌધરીની સામે લગભગ 30000 વોટોના માર્જીનથી જીતી ચુક્યા છે. વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોને લઈ ચર્ચા થઈ રહી છે. કઈ પાર્ટી કયા ઉમેદવારને ઉતારે છે તેની પર સૌ કોઈની નજર છે અને આ બધા વચ્ચે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત પેટા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.. તે કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. ના માત્ર કોંગ્રેસના ઉમેદવાર પર નજર છે પરંતુ ભાજપના ઉમેદવાર પર પણ નજર રહેલી છે. 


ગુલાબસિંહ રાજપૂતનું ચર્ચાઈ રહ્યું છે ઉમેદવાર તરીકે નામ

આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી છે તે છે બનાસકાંઠા લોકસભા બેઠક. આ બનાસકાંઠા લોકસભા બેઠક હવે ગેનીબેન ઠાકોરે જીતી લેતા તેમણે  ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી સમક્ષ વાવના MLA પદેથી રાજીનામુ આપી દીધું છે. તો હવે અહીં એ પ્રશ્ન થાય છે કે, વાવ વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે તો આમાં કોંગ્રેસમાંથી કોણ હશે સંભવિત ઉમેદવાર. તો સંભવિત ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતનું નામ ચર્ચાઈ રહ્યું છે . 



કેવી છે ગુલાબસિંહ રાજપૂતની રાજપૂતની રાજકીય સફર?

વાત કરીએ ગુલાબસિંહ રાજપૂતની તો તે થરાદના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે . તેઓ થરાદ બેઠક પરથી 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા હતા. જોકે 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPના શંકર ચૌધરી સામે 26,000 વોટોના માર્જીનથી હારી ગયા હતા . 

અને હવે વાવ પરથી ગેનબેન ઠાકોરે રાજીનામુ આપતા , કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને પેટાચૂંટણીમાં ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ ચૂંટણી નથી લડવાના... 


શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોરે હરાવ્યા છે... 

વાત કરીએ ગેનીબેન ઠાકોરની તો તેઓ ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીઓમાં જાયન્ટ કિલર બનીને ઉભર્યા હતા . ત્યારે તેમણે વાવના તે વખતના BJP ના MLA શંકર ચૌધરીને હરાવ્યા, આ પછી પણ 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ વાવ જીત્યા હતા. અને હવે આ 2024ના લોકસભાના સંગ્રામમાં કોંગ્રેસમાંથી એક માત્ર ગેનીબેને બાજી મારી છે .  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.