રખડતાં ઢોર અંગેની પોલિસીનો આજથી થશે અમલ, AMCએ પશુપાલકોને આપી આ સૂચના, જો રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો...


  • Published By :
  • Published Date : 2023-09-01 14:14:27

રખડતાં ઢોરને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. આપણે સમાચારોમાં અથવા તો ન્યુઝ ચેનલોમાં અવાર-નવાર સાંભળતા હોઈએ છીએ કે રખડતા પશુની અડફેટે આવતા રાહદારી અથવા તો વાહનચાલક ઈજાગ્રસ્ત થયો છે. અનેક વખત આવી ઘટનામાં અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. હાઈકોર્ટે આ મામલે અનેક વખત તંત્રની ઝાટકણી કાઢી છે. રસ્તા પર રખડતા ઢોરને પકડવા માટે તંત્રએ સ્પેશ્યલ પ્લાન ઘડ્યો છે. ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીનો આજથી અમલ થવાનો છે. ત્યારે એએમસીએ ટ્વિટ કરી છે કે પશુ રસ્તા પર રખડતા ન હોવા જાઈએ..

આજથી નિયંત્રણ પોલીસીનો થશે અમલ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે પહેલી સપ્ટેમ્બરથી એટલે કે આજથી શહેરમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ પોલિસીનો અમલ થવાનો છે. મહત્વનું છે કે અનેક વખત રખડતા પશુઓને કારણે વાહનચાલકોને તેમજ રાહદારીઓને અડફેટે લેતા હોય છે. જેને કારણે તેમને ઈજાઓ થતી હોય છે. ગુજરાત હાઈકોર્ટમાં અનેક વખત આ મામલે પીઆઈએલ થઈ. 


ગુજરાત હાઈકોર્ટે અનેક વખત કાઢી છે તંત્રની ઝાટકણી 

રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા માટે શું પગલા લેવાયા તે અંગે અનેક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પરંતુ દર વખતે તંત્ર દ્વારા આપવામાં આવતા જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હોય તેવું લાગતું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા રખડતા ઢોર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અનેક વખત જોવા પણ મળ્યું છે કે રસ્તાની વચ્ચોવચ રખડતા પશુઓ બેસી જાય છે જે કારણે લોકોને અગવડનો સામનો કરવો પડે છે.  

ઝોન વાઈઝ અધિકારીઓને સોંપવામાં આવી છે જવાબદારી 

રખડતા પશુઓ પર નિયંત્રણ લાવવા માટે તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. રખડતા પશુ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રસ્તા પર ટેગિંગ વગર જો પશુ દેખાશે તો પશુ પાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તે સિવાય પણ અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલા રખડતા ઢોર મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી હતી. ઝોન વાઈઝ ટીમ બનાવવામાં આવશે અને વિવિધ અધિકારીઓની જવાબદારી અંગે જણાવવામાં આવ્યું છે.


શું હંમેશા માટે મળશે રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ?  

મહત્વનું છે કે રસ્તાની વચ્ચોવચ પશુઓ અડ્ડો જમાઈને બેઠા હોય છે જેને કારણે વાહનચાલકોએ ક્યાંથી નિકળવું તે પ્રશ્ન ઉભો થતો હોય છે. કોઈ વખત શાંત લાગતા પશુ અચાનક હિંસક બની જાય છે, કોઈ વખત એકબીજા સાથે લડવાનું શરૂ કરી દેતા હોય છે તો કોઈ વખત રાહદારીને અડફેટે લેતા હોય છે. પશુ પાલકોને આ મામલે નોટિસ તો આપવામાં આવી છે પરંતુ તેનો અમલ કેટલો થાય તે જોવાનું રહ્યું. રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ મળે છે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. જ્યાં સુધી પશુ પકડવાની કામગીરી ચાલતી હશે ત્યાં સુધી પશુ પાલકો કદાચ રસ્તા પર પશુઓને રખડતા નહીં મૂકે, કદાચ કાર્યવાહીના ડરથી રસ્તા પર અમુક સમય માટે રસ્તા ઉપર ફરતા યમદૂતોથી રાહત મળી શકે છે પરંતુ પછી? કાર્યવાહી તો થોડા દિવસો જ ચાલશે પરંતુ પછી પરિસ્થિતિ પહેલા જેવી જ થઈ જશે તેવું લાગે છે.    

   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!