Kheda સિરપકાંડ મામલે આ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ, પાંચ લોકોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-02 12:36:09

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ખેડામાં થયેલા સિરપકાંડ અંગે ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા પછી પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ગુજરાતના વિવિધ સ્થળો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું જેમાં મોટી માત્રામાં સિરપનો જથ્થો ઝડપાયો છે. ત્યારે આ મામલે નવી અપડેટ સામે આવી છે. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. નડિયાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. ખેડા એસ.ઓ.જી PI અને રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડી.એન.ચુડાસમા ફરિયાદી બન્યા છે. 

5 લોકો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો

પાંચ લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ

ખેડામાં થયેલા સિરપકાંડ મામલે અનેક કલાકો બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ફરિયાદ કરનાર બીજુ કોઈ નહીં પરંતુ પોલીસ પોતે બની છે. નડિયાદ પોલીસ સ્ટેશનનાં પીઆઈને ફરિયાદી બનાવ્યા હતા. આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નડિયાદના યોગેશ સિંધી, બિલોદરાના કિશોર સોઢા, ઈશ્વર સોઢા, વડોદરાના નીતીન કોટવાણી તથા ભાવેશ સેવકાણી સામે પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અલગ અલગ સ્થળો પર હાથ ધરાયું હતું ચેકિંગ 

આ સમગ્ર મામલે પોલીસે નડિયાદનાં 1, વડોદરાનાં 2, બિલોદરાનાં 2 સહિત કુલ 5 શખ્શો સામે ફરિયાદ નોંધી છે. મહત્વનું છે આ સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોટી માત્રામાં સિરપનો જથ્થો જપ્ત કરાયો છે.  

ક્યાંથી કેટલી બોટલો પકડાઈ?

બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપનો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સીરપનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. તે ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી પણ આ સિરપનો જથ્થો જપ્ત કરાયો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!