વાવાઝોડાથી રક્ષણ મેળવવા જામનગરના આ ગામના લોકોએ શોધ્યો આ રસ્તો! જાણો કેવી રીતે ગામજનો કરશે પોતાનું રક્ષણ?


  • Published By :
  • Published Date : 2023-06-14 17:12:21

પાણી પહેલા પાળ બાંધવાની કહેવત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે જામનગર પાસે આવેલા એક ગામે આ વાતને સાર્થક કરી બતાવી છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ વિકટ બની રહ્યું છે ત્યારે રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા દોરડાનો ઉપયોગ કર્યો છે. આ ગામમાં આશરે 1500થી 1700 લોકો વસે છે. ત્યારે આ ગામ આફતને પહોંચી વળવા સજ્જ હોય તેવું લાગી રહ્યું છે.  

 Cyclone Biporjoy: જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામજનો ચોકમાં બાંધે છે દોરડા

વાવાઝોડાથી આ રીતે મેળવે છે રક્ષણ!

જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ બિપોરજોય નામનું સંકટ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં વાવાઝોડું ટકરાશે તેવું અનુમાન છે. વાવાઝોડાને લઈ તંત્ર પણ સજ્જ છે. તંત્રે પણ વાવાઝોડાથી નિપટવા માટે તૈયારીઓ કરી લીધી છે. ત્યારે જામનગરનું રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા આ ઉપાય શોધી કાઠ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઇને સરકાર અને સ્થાનિક તંત્ર જે રીતે સજ્જ છે તે જ પ્રકારે ગુજરાતની ખમીરવંતી પ્રજા પણ આ કુદરતી આપત્તિનો સામનો કરવા અવનવા આયોજનો કરી રહી છે.. 


નીચાણવાળો વિસ્તાર હોવાથી રહેતું હોય છે સંકટ!  

જામનગરમાં એક એવું ગામ છે જ્યાં વાવાઝોડાંને પહોંચી વળવા લોકો દોરડા બાંધી રહ્યા છે.. પાણી પહેલા પાળ બાંધવી તે ઉક્તિને આ રસુલનગર ગામના લોકો સાર્થક કરી રહ્યા છે.. આ ગામ આશરે 1500 થી 1700 લોકોની વસતી ધરાવે છે. મોટેભાગે આ ગામડામાં માછીમારો રહે છે.. અને ખૂબ જ નીચાણવાળા વિસ્તારોમાં આ ગામ આવેલું છે..આથી જ્યારે જ્યારે વાવાઝોડાની દહેશત ઉભી થાય  છે ત્યારે આ લોકો ગામડાની મધ્યમાં ચારેબાજુ દોરડા બાંધી દે છે. જેથી વાવાઝોડાના સમયમાં આ દોરડાને પકડીને લોકો સલામત સ્થળે પહોંચી શકે. 


1998માં પણ આ ગામને સહન કરવો પડ્યો હતો કુદરતનો માર!

આ ગામ વર્ષ 1998માં આવેલા વિનાશક વાવાઝોડાનું પણ સાક્ષી રહ્યું છે. અને તે સમયે પણ ગામલોકોએ બિલકુલ આ જ રીતે દોરડા બાંધ્યા હતા. અને લોકોને સુરક્ષિત રહેવામાં આ તરકીબ મદદરૂપ સાબિત થઇ હતી. રસુલનગર ગામના આ લોકોની આ પ્રવૃત્તિ આપણને એવો સંદેશો આપી રહી છે કે આ કુદરતી આપદા સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે. સરકાર, સેના અને સ્થાનિક અધિકારીઓ તો પોતાની જવાબદારી નિભાવશે જ પણ એક પ્રજા તરીકે આપણે પણ તેમને સહકાર આપવાનો છે.. અને મુસીબત સામે લડીને દુનિયા સામે એક સાહસિક પ્રજા તરીકેનું ઉદાહરણ પ્રસ્થાપિત કરવાનું છે..



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.