વાવાઝોડાથી રક્ષણ મેળવવા જામનગરના આ ગામના લોકોએ શોધ્યો આ રસ્તો! જાણો કેવી રીતે ગામજનો કરશે પોતાનું રક્ષણ?


  • Published By :
  • Published Date : 2023-06-14 17:12:21

પાણી પહેલા પાળ બાંધવાની કહેવત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે જામનગર પાસે આવેલા એક ગામે આ વાતને સાર્થક કરી બતાવી છે. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ વિકટ બની રહ્યું છે ત્યારે રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા દોરડાનો ઉપયોગ કર્યો છે. આ ગામમાં આશરે 1500થી 1700 લોકો વસે છે. ત્યારે આ ગામ આફતને પહોંચી વળવા સજ્જ હોય તેવું લાગી રહ્યું છે.  

 Cyclone Biporjoy: જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામજનો ચોકમાં બાંધે છે દોરડા

વાવાઝોડાથી આ રીતે મેળવે છે રક્ષણ!

જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ બિપોરજોય નામનું સંકટ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં વાવાઝોડું ટકરાશે તેવું અનુમાન છે. વાવાઝોડાને લઈ તંત્ર પણ સજ્જ છે. તંત્રે પણ વાવાઝોડાથી નિપટવા માટે તૈયારીઓ કરી લીધી છે. ત્યારે જામનગરનું રસુલનગર ગામના લોકોએ વાવાઝોડાથી બચવા આ ઉપાય શોધી કાઠ્યો છે. બિપોરજોય વાવાઝોડાને લઇને સરકાર અને સ્થાનિક તંત્ર જે રીતે સજ્જ છે તે જ પ્રકારે ગુજરાતની ખમીરવંતી પ્રજા પણ આ કુદરતી આપત્તિનો સામનો કરવા અવનવા આયોજનો કરી રહી છે.. 


નીચાણવાળો વિસ્તાર હોવાથી રહેતું હોય છે સંકટ!  

જામનગરમાં એક એવું ગામ છે જ્યાં વાવાઝોડાંને પહોંચી વળવા લોકો દોરડા બાંધી રહ્યા છે.. પાણી પહેલા પાળ બાંધવી તે ઉક્તિને આ રસુલનગર ગામના લોકો સાર્થક કરી રહ્યા છે.. આ ગામ આશરે 1500 થી 1700 લોકોની વસતી ધરાવે છે. મોટેભાગે આ ગામડામાં માછીમારો રહે છે.. અને ખૂબ જ નીચાણવાળા વિસ્તારોમાં આ ગામ આવેલું છે..આથી જ્યારે જ્યારે વાવાઝોડાની દહેશત ઉભી થાય  છે ત્યારે આ લોકો ગામડાની મધ્યમાં ચારેબાજુ દોરડા બાંધી દે છે. જેથી વાવાઝોડાના સમયમાં આ દોરડાને પકડીને લોકો સલામત સ્થળે પહોંચી શકે. 


1998માં પણ આ ગામને સહન કરવો પડ્યો હતો કુદરતનો માર!

આ ગામ વર્ષ 1998માં આવેલા વિનાશક વાવાઝોડાનું પણ સાક્ષી રહ્યું છે. અને તે સમયે પણ ગામલોકોએ બિલકુલ આ જ રીતે દોરડા બાંધ્યા હતા. અને લોકોને સુરક્ષિત રહેવામાં આ તરકીબ મદદરૂપ સાબિત થઇ હતી. રસુલનગર ગામના આ લોકોની આ પ્રવૃત્તિ આપણને એવો સંદેશો આપી રહી છે કે આ કુદરતી આપદા સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે. સરકાર, સેના અને સ્થાનિક અધિકારીઓ તો પોતાની જવાબદારી નિભાવશે જ પણ એક પ્રજા તરીકે આપણે પણ તેમને સહકાર આપવાનો છે.. અને મુસીબત સામે લડીને દુનિયા સામે એક સાહસિક પ્રજા તરીકેનું ઉદાહરણ પ્રસ્થાપિત કરવાનું છે..



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!