Gujaratના લોકો સિઝનને લઈ થયા Confuse! સવારે ઠંડી અને બપોરે આકરો તાપ... અનેક શહેરોમાં ગગડ્યો તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-10-06 09:01:57

ગુજરાતમાંથી વરસાદે વિરામ લઈ લીધો છે. વરસાદે ભલે વિદાય લીધી હતી પરંતુ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો પરંતુ હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તાપમાનનો પારો ગગડે છે પરંતુ દિવસ દરમિયાન ગરમીનો પારો સતત વધતો જાય છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ શહેરો તેમજ જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે સવારે અને રાત્રે ઠંડીના ચમકારોના અહેસાસ થાય છે. હવામાન વિભાગે 30 સપ્ટેમ્બરના આંકડા જાહેર કર્યા છે જે નીચે મુજબ છે. 


સવારે ઠંડી અને બપોરે ગરમી!

છેલ્લા ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થતા લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે સિઝન કઈ ચાલે? ગુલાબી ઠંડીનો અહેસાસ થતા લોકો ખુશ થાય છે પરંતુ બપોરે સૂર્યમાંથી નીકળતા અગ્નિજ્વાળાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અમુક કલાકોમાં જ વરસાદ ગુજરાતમાંથી વિદાય લઈ લેશે. પરંતુ નવરાત્રી તેમજ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ આવી શકે છે. 

રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો... - રાજકોટ મિરર

બેવડી ઋતુને કારણે વધ્યો રોગચાળો 

આગામી સપ્તાહમાં હવામાન હમણાં જેવું છે તેવું જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની શક્યતા નહીંવત છે તેવી વાત પણ કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર પાંચ-સાત દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર કોઈ નહીં જોવા મળે. હવામાન યથાવત રહેશે. મહત્વનું છે કે બેવડી ઋતુથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. ચોમાસાની વિદાયની સાથે લોકો મચ્છરજન્ય રોગના શિકાર બની રહ્યા છે. 

વરસાદની સિઝન શરૂ અને અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.