ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે,કેજરીવાલનું ટ્વીટ


  • Published By :
  • Published Date : 2022-11-03 14:17:25

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતુ. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે.


કેજરીવાલનું ટ્વીટ

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતની જનતા આ વખતે મોટા બદલાવ માટે તૈયાર છે. અમે જરૂર જીતીશુ. મહત્વપૂર્ણ છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી નજીક આવતા ઘણીં વાર આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને આ વાત કેજરીવાલે ઘણી સભાઓમાં કરી છે કે ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે.

  

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે જ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.