નર્મદાના દેડીયાપાડા ગામના લોકોએ એક અઠવાડિયું મહેનત કરી જાતે રસ્તો બનાવ્યો, ક્યાં સુધી સરકારના ભરોસે બેસી રહે લોકો!


  • Published By :
  • Published Date : 2023-04-22 14:22:58

રાજ્યના અનેક રસ્તાઓ એવા હોય છે જ્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. પરંતુ રાજ્યના અનેક ગામડાઓ એવા હોય છે જ્યાં તો રસ્તા જ નથી હોતા. સમગ્ર દેશમાં આઝાદીના અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક ગામડાઓ સારા રસ્તા અથવા તો માત્ર રસ્તા માટે,આટલા વર્ષો બાદ પણ વલખા મારવા પડે છે. રસ્તો બનશે તેવી આશાએ સ્થાનિકો આટલા વર્ષો સુધી બેસી રહ્યા પરંતુ આખરે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી ગામના સ્થાનિકોએ જાતમહેનત પર વિશ્વાસ રાખ્યો હતો અને જાતે જ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી હતી. મોહબી ગામમાં રહેતા સ્થાનિકોએ બે કિમીનો રસ્તો ડુંગર ખોદી બનાવવાની કામગીરી કરી હતી. 


     


ગામના લોકોએ જાતમહેનતને માની સર્વોપરી!    

રસ્તાની સમસ્યા એક મોટો પ્રશ્ન બની ગઈ છે. અનેક રસ્તાઓ એવા હોય છે જ્યાં ખાડાઓનું રાજ જોવા મળતું હોય છે. રસ્તા સારા બને તેની જવાબદારી સરકારની હોય છે. સારા રસ્તાઓના દાવા સરકાર દ્વારા અનેક વખત કરવામાં આવતા હોય છે. પરંતુ આજે પણ એવા અનેક અંતરિયાળ ગામડાઓ છે જ્યાં રસ્તાઓ જ નથી તો સારા રસ્તાઓની આશા ક્યાંથી રાખી શકાય? ત્યારે  નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી ગામના લોકોએ જાતમહેનતને સર્વોપરી માની છે. રોજિંદા વ્યવહાર માટે રસ્તો ન હોવાને કારણે અવર-જવર માટે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.



ડુંગર ખોદી સ્થાનિકોએ બનાવ્યો રસ્તો! 

ચોમાસા દરમિયાન સારા રસ્તા ન હોવાને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિકોએ રસ્તાનું નિર્માણ કાર્યનો પ્રારંભ પોતે કરી લીધો છે. મોહબી ગામના પટેલ ફળિયામાં રહેતા લોકોએ ડુંગર ખોધી બે કિમીનો રસ્તો બનાવ્યો છે. પાવડા, ત્રિકમની મદદથી પોતાના ફળિયા સુધીનો બે કિમીનો રસ્તો ડુંગર ખોદી બનાવ્યો છે. ચોમાસા દરમિયાન પગદંડી તેમજ ડુંગર પર થઈને રસ્તો પસાર કરવો પડે છે. 


ક્યાં સુધી અંતરિયાળ વિસ્તારના લોકો સારા રસ્તા માટે વલખા મારશે?

તંત્ર સુધી સ્થાનિકોનો અવાજ પહોંચ્યો ન હતો. ત્યારે સ્થાનિકોની તકલીફ ભલે સરકાર ન સમજતી હોય પરંતુ ત્યાં રહેતા સ્થાનિકો તો સમજે જ છે. જેને લઈ સ્થાનિકો એ જ જાતે રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. 35 જેટલા લોકોએ પોતે જ ડુંગર ખોદી રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે તંત્રના ધ્યાને આ તકલીફ પહોંચે તેમના માટે પાકો રસ્તો બનાવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે તો બીજી તરફ આવા દ્રશ્યો સરકારના દાવાને ખોટા સાબિત કરે છે. આટલા વર્ષો બાદ પણ જો સરકાર પ્રાથમિક સુવિધાઓ ગામડાઓ સુધી નથી પહોંચાડી શક્તી તે વાત દુખની છે.               



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!