બીજાને રાજનીતિ ન કરવાની સલાહ આપનાર પાર્ટીએ શરૂ કરી રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-11-01 13:40:28

ગુજરાતમાં એક તરફ દુ:ખનો માહોલ છે, તો બીજી તરફ બીજાને રાજનીતિ ન કરવાની સલાહ આપનાર આમ આદમી પાર્ટીએ ગમગીન માહોલ વચ્ચે રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ 8મું લિસ્ટ જાહેર કર્યું છે. ઉમેદવારોના નામ જાહેર કર્યા એનો વાંધો નથી પરંતુ એવા સમયે જાહેર કર્યા જ્યારે આખું ગુજરાત શોકગ્રસ્ત છે. મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ ગુજરાત થંભી ગયું છે. ત્યારે એવી તો કેવી ઉતાવળ આમ આદમી પાર્ટીને આવી ગઈ કે આવા માહોલ વચ્ચે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા. આ સમયે ઉમેદવારોના નામ જાહેર કરી આમ આદમી પાર્ટી શું સંદેશ આપવા માગે છે. 

The Obscene Post Viral In The Social Media Group Of The Aam Aadmi Party |  આમ આદમી પાર્ટીના સોસીયલ મીડિયા ગૃપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર

શોકના સમયે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવારોના નામ 

ગુજરાતમાં ચૂંટણીને લઈ તૈયારી થઈ રહી છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં એક એવી ઘટના બની છે જેણે ગુજરાતને હચમચાવી નાખી છે. આ ઘટનાને પગલે તમામ રાજકીય પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર એક દિવસ માટે સ્થગિત રાખ્યો હતો. એ ઘટનાને હજી બે દિવસ પણ નથી થયા ત્યારે આમ આદમી પાર્ટી આ દુર્ઘટનાને ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શોકના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી રાજનીતિ શરૂ કરી દીધી છે.

મોરબીની ઘટના બની તે બાદ જ્યારે આપના નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે  તેમણે કહ્યું હતું કે આ સમય રાજનીતિ કરવાનો નથી. મોરબીની પ્રજાના પડખે રહેવાનો આ સમય છે. આપે તમામ કાર્યકર્તાઓને રાહત કાર્યમાં મદદ કરવા સૂચના પણ આપી દીધી હતી. આ વાતને અમે વખાણીએ છીએ પરંતુ ઘટનાને હજી અઠવાડિયું પણ નથી થયું. રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે તેવા સમયે આપ દ્વારા કરવામાં આવેલ આ કૃત્યનો અમે વિરોધ કરીએ છીએ.           

આપના ઉમેદવારો પણ માને છે કે થોડા સમય પછી લિસ્ટ જાહેર કરવા જેવું હતું  

આ ઘટના પર રાજનીતિ ન કરવી જોઈએ એવું કહેનાર પાર્ટીએ જ પોતાની વાતનું ઉલ્લંઘન કર્યું છે. જે ઉમેદવારોના નામ એક-બે દિવસ બાદ જાહેર કર્યા હોત તો કંઈ ફરક નતો પડવાનો. આવા સમયે ઉમેદવારોના નામ જાહેર કરી રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે. જો આવા સમયે ભાજપ અથવા કોંગ્રેસમાંથી કોઈએ પણ લિસ્ટ જાહેર કર્યું હોત તો શું આમ આદમી પાર્ટી બીજી પાર્ટીને સલાહ ન આપી હોત. અમે તો માનીયે છીએ પણ આપના ઉમેદવારો પણ માને છે કે આવા સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર નતું કરવા જેવું.      




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.