ટિકીટ કપાતા છલકાયું નારણ કાછડિયાનું દર્દ! Social Media પર પોસ્ટ કરી ઠાલવી વેદના..! પોસ્ટમાં લખ્યું સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે....


  • Published By :
  • Published Date : 2024-03-29 11:52:45

ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે. તે નારાજ થયા છે એવી વાત એટલા માટે થઇ રહી છે કારણ કે તેમણે સોશ્યિલ મીડિયા પર આવી પોસ્ટ મૂકી છે.   


સોશિયલ મીડિયા પર નારણ કાછડિયાએ દુ:ખ વ્યક્ત કર્યું! 

અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આડકતરી રીતે દુ:ખ વ્યક્ત કર્યું છે. અમરેલી બેઠકથી નારણ કાછડીયાની ટિકિટ કપાઈ ગઇ છે. ત્યારે નારણ કાછડિયાએ ફેસબુકમાં 2 પોસ્ટ મુકી જે ચર્ચાનો વિષય બની છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મુર્ખાનું ટોળું હશે, પરંતુ વિજય સત્યનો જ થશે. નારણ કાછડીયાની પોસ્ટ બાદ પ્રદેશમાં ચર્ચા શરૂ થઇ છે. જો કે કાછડિયાને આ અંગે પૂછવામાં આવતાં તેમણે નારાજ ન હોવાનો દાવો કર્યો છે. 


ધારાસભ્ય મહેશ કસવાલાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું... 

જોકે એના પછી પણ નારણ કાછડીયાએ બીજી પોસ્ટમાં કથાકાર મોરારી બાપુનો એક વીડિયો શેર કર્યો જેમાં લખ્યું હતું . જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો. એટલે આ વાત અને પોસ્ટ બે મેચ નથી થઇ રહ્યા. જોકે આ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું કે ભાજપમાં નારાજગીનો કોઈ અવકાશ નથી. ઉલ્લેખનિય છે કે ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. નારાજગીની આવી પોસ્ટ જોયા પછી સવાલ થાય કે નારાજગી ખુલ્લીને વ્યક્ત નથી કરી શકતા એટલા માટે સોશિયલ મીડિયાનો સહારો નેતાઓ લઈ રહ્યા છે પોતાની વ્યથા દૂર કરવા માટે! 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.