સંસદમાં વિપક્ષ ફરી ઉઠાવશે અદાણીનો મુદ્દો, સમગ્ર દેશમાં કોંગ્રેસ આ મામલાને લઈ કરશે પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2023-02-06 10:51:52

અમેરિકાની કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે તે ઉપરાંત શેરોના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો જેને કારણે અદાણીની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે અદાણી મુદ્દો સંસદમાં પહોંચ્યો હતો. સંસદમાં ચર્ચા થઈ હતી જેમાં ભારે હંગામો થયો હતો. વિપક્ષ દ્વારા આને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સોમવારે ફરીથી સંસદમાં કાર્યવાહીનો પ્રારંભ થશે. તે બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું છે.


હોબાળો થતાં કાર્યવાહી કરાઈ હતી સ્થગિત 

અદાણી જૂથને હિંડનબર્ગને લઈ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વિપક્ષ દ્વારા અદાણીનો મામલો સંસદમાં ઉઠાવામાં આવ્યો હતો. વિપક્ષી દળોએ આ મામલે તપાસ કરવાની માગ કરી છે. આ તપાસ સંયુક્ત સંસદીય સમિતિ અથવા તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થાય તેવી માગ છે. હોબાળાને કારણે સંસદની કાર્યવાહી શુક્રવારથી સ્થગિત કરવામાં આવી હતી અને આજે ફરી એક વખત સંસદમાં સત્ર યોજાઈ રહ્યું છે.

LIC, SBI exposure to Adani Group within permitted limits: FM Sitharaman |  Deccan Herald


આખા દેશમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન 

અદાણી મુદ્દાને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. તે માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષ નેતાઓની બેઠક પણ બોલાવી છે. અદાણીમાં સરકારી કંપની LIC તેમજ SBI દ્વારા પણ નિવેશ કરવામાં આવ્યું છે. તેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત એલઆઈસી તેમજ એસબીઆઈની ઓફિસ આગળ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ સિવાય અનેક પક્ષો અદાણી મામલે તપાસની માગ કરી રહી છે.          




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.