રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્વને થશે એક વર્ષ પૂર્ણ ,રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સંસદમાં કર્યું સંબોધન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-02-21 18:00:38

24 ફેબ્રુઆરીના રોજ રૂસ અને યુક્રેન જંગને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે વર્ષ પૂર્ણ થાય તે પહેલા રૂસના રાષ્ટ્રપતિ પુતિને રૂસના સંસદમાં સંબોધન કર્યું છે. સભાને સંબોધતા પુતિને કહ્યું કે તે સંબોધન એવા સમયે કરી રહ્યા છે જ્યારે સમય દેશ માટે મુશ્કેલી ભરેલો છે. સમગ્ર વિશ્વમાં મોટા મોટા ફેરફાર થઈ રહ્યા છે. રશિયાએ જંગને ટાળવા તમામ પ્રયાસો કર્યા પરંતુ નાટો અને અમેરિકાએ પ્રયાસોને સફળ ન થવા દીધા હતા. પુતિને આ ભાષણ એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન યુક્રેનની મુલાકાતે છે.


દેશોને મોહરા બનાવાઈ રહ્યા છે 

સંસદમાં સંબોધતા પુતિને કહ્યું કે આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવા પ્રયત્ન કર્યા હતા, તે માટે વાતચીત પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ જંગની શરૂઆત વેસ્ટર્ન પાવર્સને કારણે થઈ છે. એ વખતે પણ યુદ્ધ રોકવા તમામ પ્રકારની કોશિશ કરવામાં આવી હતી. એ લોકો કીવ અને યુક્રેનના ખભે બંદૂક ફોડી રહ્યા છે. અમે વતનની સુરક્ષા કેવી રીતે કરવી તે સારી રીતે જાણીએ છીએ. પોતાનો દબદબો રાખવા અમેરિકા અને તેના સાથી દેશો બીજા દેશોને મોહરા બનાવી રહ્યા છે. અમે તો દેશ અને નાગરિકોની સુરક્ષા કરવા માગીએ છીએ અને અમે આ જ કરી રહ્યા છે. 

पुतिन ने कहा कि हम जंग नहीं चाहते थे लेकिन हर हाल में अपने देश की रक्षा करेंगे।

पुतिन का भाषण सुनने के लिए मौजूद 1500 से ज्यादा सांसद और फौज के अधिकारी।


રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું નથી - પુતિન 

તેમણે કહ્યું કે રશિયા પોતાના સ્વાભિમાન સાથે કોઈ સમજોતો નહીં કરે. કીવની એટલી તાકાત નથી કે તે ડોનબાસના મામલાને સુલઝાવી લે. તે લોકો માને છે કે રુસ તેમની મુશ્કેલીનું સમાધાન કરે. મેં ક્યારેય પણ નથી કહ્યું કે યુદ્ધથી જ તમામ સમસ્યાનું નિરાકરણ આવશે. વાતચીતતો થવી જ જોઈએ, પરંતુ તે માટે ઉચિત માર્ગ અપનાવો જોઈએ. પ્રેશર ટેક્ટિક્સની સામે રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું પણ નથી. દુનિયા કાન ખોલીને સાંભળી લે કે જંગમાં રશિયાને હરાવવું નામુમકિન છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે