રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્વને થશે એક વર્ષ પૂર્ણ ,રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સંસદમાં કર્યું સંબોધન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-02-21 18:00:38

24 ફેબ્રુઆરીના રોજ રૂસ અને યુક્રેન જંગને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે વર્ષ પૂર્ણ થાય તે પહેલા રૂસના રાષ્ટ્રપતિ પુતિને રૂસના સંસદમાં સંબોધન કર્યું છે. સભાને સંબોધતા પુતિને કહ્યું કે તે સંબોધન એવા સમયે કરી રહ્યા છે જ્યારે સમય દેશ માટે મુશ્કેલી ભરેલો છે. સમગ્ર વિશ્વમાં મોટા મોટા ફેરફાર થઈ રહ્યા છે. રશિયાએ જંગને ટાળવા તમામ પ્રયાસો કર્યા પરંતુ નાટો અને અમેરિકાએ પ્રયાસોને સફળ ન થવા દીધા હતા. પુતિને આ ભાષણ એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન યુક્રેનની મુલાકાતે છે.


દેશોને મોહરા બનાવાઈ રહ્યા છે 

સંસદમાં સંબોધતા પુતિને કહ્યું કે આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવા પ્રયત્ન કર્યા હતા, તે માટે વાતચીત પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ જંગની શરૂઆત વેસ્ટર્ન પાવર્સને કારણે થઈ છે. એ વખતે પણ યુદ્ધ રોકવા તમામ પ્રકારની કોશિશ કરવામાં આવી હતી. એ લોકો કીવ અને યુક્રેનના ખભે બંદૂક ફોડી રહ્યા છે. અમે વતનની સુરક્ષા કેવી રીતે કરવી તે સારી રીતે જાણીએ છીએ. પોતાનો દબદબો રાખવા અમેરિકા અને તેના સાથી દેશો બીજા દેશોને મોહરા બનાવી રહ્યા છે. અમે તો દેશ અને નાગરિકોની સુરક્ષા કરવા માગીએ છીએ અને અમે આ જ કરી રહ્યા છે. 

पुतिन ने कहा कि हम जंग नहीं चाहते थे लेकिन हर हाल में अपने देश की रक्षा करेंगे।

पुतिन का भाषण सुनने के लिए मौजूद 1500 से ज्यादा सांसद और फौज के अधिकारी।


રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું નથી - પુતિન 

તેમણે કહ્યું કે રશિયા પોતાના સ્વાભિમાન સાથે કોઈ સમજોતો નહીં કરે. કીવની એટલી તાકાત નથી કે તે ડોનબાસના મામલાને સુલઝાવી લે. તે લોકો માને છે કે રુસ તેમની મુશ્કેલીનું સમાધાન કરે. મેં ક્યારેય પણ નથી કહ્યું કે યુદ્ધથી જ તમામ સમસ્યાનું નિરાકરણ આવશે. વાતચીતતો થવી જ જોઈએ, પરંતુ તે માટે ઉચિત માર્ગ અપનાવો જોઈએ. પ્રેશર ટેક્ટિક્સની સામે રશિયા ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકવાનું પણ નથી. દુનિયા કાન ખોલીને સાંભળી લે કે જંગમાં રશિયાને હરાવવું નામુમકિન છે. 




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.