12 ડિસેમ્બરના રોજ યોજાશે શપથ સમારોહ


  • Published By :
  • Published Date : 2022-12-09 09:04:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. આ વખતે પણ ગુજરાતમાં ભગવો લહેરાયો છે. ભાજપને આ વખતે પ્રચંડ બહુમતી મળી છે. અનેક સ્થળો પર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરના રોજ યોજાશે. એવું માનવામાં આવી રહ્યું છે આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. આ શપથ સમારોહ ગાંધીનગર હેલિપેડ ખાતે યોજાશે. 


અનેક દિગ્ગજ નેતાઓએ કર્યો હતો પ્રચાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટેનું આયોજન પહેલી ડિસેમ્બરના રોજ યોજાયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ વખતે ભાજપે 2017નો પોતાનો રેકોર્ડ તોડી રહી છે. જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન સારુ નથી રહ્યું. આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતુ ખોલ્યું છે. 

મોટા પાયે ભાજપ કરશે વિજયનું જશ્ન 

વિધાનસભા બેઠકને જીતવા દરેક પાર્ટીએ તનતોડ મહેનત કરી હતી. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આપ માટેનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાતમાં આવી પ્રચાર કર્યો હતો. ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવી છે. ત્યારે ભાજપ જીતનું જશ્ન મનાવી રહી છે. ત્યારે મોટા પાયે જીતનો ઉત્સવ મનાવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સરકારની શપથ વિધી યોજાવાની છે જેમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લઈ શકે છે. ઉપરાંત દિલ્હી ખાતે આજે ભાજપની જીતનું જશ્ન થવાનું છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.