દેશમાં સતત વધી રહ્યો છે કોરોના સંક્રમિતોનો આંકડો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-25 14:03:18

દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દૈનિક કેસોમાં સતત વધારો થયો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે. 3 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે, એક-એક વ્યક્તિના મોત કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં નોંધાયા છે.   


પાંચ અઠવાડિયામાં વધ્યા અનેક કોરોનાના કેસ 

146 દિવસોમાં સૌથી વધારે કેસ આ વખતે નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 8601 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોના સંક્રમણ 9 ટકા જેટલું વધી ગયો છે. જેને કારણે કોરોનાનો ખતરો વધતો જઈ રહ્યો છે. ત્યારે મંત્રાલયે ચાર ટીને ફોલો કરવાની સલાહ આપી છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે.  


XBB1.16નો વધી રહ્યો છે ખતરો 

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે કોરોનાથી ફરી એક વખત લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં ઓમિક્રોનના XBB1.16 સબ-વેરિયન્ટના વધતા કેસોને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે. 


ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા મંત્રાલયની સલાહ!

ત્યારે દેશમાં વધતા કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. થોડા સમય પહેલા વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. તે સિવાય રાજ્યોને પણ એક્ટિવ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે સંક્રમણના વધતા ખતરાને જોતા મંત્રાલયે ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.