દેશમાં સતત વધતો કોરોના કેસનો આંકડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3000થી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-03-30 11:58:27

દેશમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 6 મહિનામાં પ્રથમ વખત કોરોના કેસ 3 હજારને પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3016 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણને કારણે 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કેરળથી સૌથી વધુ મૃત્યુઆંક નોધાયો છે.

   

કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધતો 

થોડા વર્ષો પહેલા કોરોના સંક્રમણએ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. કોરોનાને કારણે અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યું છે. કોરોના સંક્રમિતોના આંકડા સતત વધી રહ્યા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ 

છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોના સંક્રમણની વાત કરીએ તો 3 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના નવા 3016 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. કેરળમાં કોરોનાને કારણે 8 જેટલા લોકોના મોત થયા છે, મહારાષ્ટ્રમાંથી ત્રણ મોતના કેસ નોંધાયા છે. દિલ્હીમાં રહેતા 2 લોકોના મોત થયા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાને કારણે મોત થયા છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.