દિવાળી સમયે થતા અકસ્માતને ધ્યાનમાં રાખી વધારાઈ એમ્બ્યુલન્સની સેવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:19:35

દિવાળીના તહેવાર દરમિયાન અનેક અકસ્માત તેમજ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ઉપરાંત ફટાકડા ફોડવાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે. જેને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની સંખ્યમાં વધારો કરવામાં આવ્યો છે. લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તહેવારને ધ્યાનમાં રાખી 3 દિવસ એટલે કે દિવાળી, બેસતુ વર્ષ તેમજ ભાઈ બીજના દિવસ દરમિયાન 50 એમ્બ્યુલન્સ વધારવામાં આવી છે. 

108 Ambulance : 108 Ambulance News in Gujarati | Latest 108 Ambulance  Samachar - News18 Gujarati

દિવાળીના સમયે ઈમરજન્સી કોલમાં થાય છે વધારો

દિવાળીના સમયે ફટાકડા ફોડાવામાં આવતા હોય છે. જેને કારણે આગ લાગવાની ઘટનામાં વધારો થતો હોય છે. દિવાળી દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. મળતી માહિતી મુજબ ગયા વર્ષે દિવાળીના દિવસે 4138, બેસતા વર્ષના દિવસે 4740 તેમજ ભાઈબીજના દિવસે 4600 જેટલા કોલ આવ્યા હતા. ત્યારે આ વર્ષે ઈમરજન્સી કોલની સંખ્યામાં વધારો થઈ શકે છે. શિફ્ટ મુજબ કોલ સેન્ટર પર 250 જેટલા કર્મચારીઓ કામ કરશે. તમામ ફોન કોલનો જવાબ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.    



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.