દિવાળી સમયે થતા અકસ્માતને ધ્યાનમાં રાખી વધારાઈ એમ્બ્યુલન્સની સેવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:19:35

દિવાળીના તહેવાર દરમિયાન અનેક અકસ્માત તેમજ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ઉપરાંત ફટાકડા ફોડવાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે. જેને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની સંખ્યમાં વધારો કરવામાં આવ્યો છે. લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તહેવારને ધ્યાનમાં રાખી 3 દિવસ એટલે કે દિવાળી, બેસતુ વર્ષ તેમજ ભાઈ બીજના દિવસ દરમિયાન 50 એમ્બ્યુલન્સ વધારવામાં આવી છે. 

108 Ambulance : 108 Ambulance News in Gujarati | Latest 108 Ambulance  Samachar - News18 Gujarati

દિવાળીના સમયે ઈમરજન્સી કોલમાં થાય છે વધારો

દિવાળીના સમયે ફટાકડા ફોડાવામાં આવતા હોય છે. જેને કારણે આગ લાગવાની ઘટનામાં વધારો થતો હોય છે. દિવાળી દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. મળતી માહિતી મુજબ ગયા વર્ષે દિવાળીના દિવસે 4138, બેસતા વર્ષના દિવસે 4740 તેમજ ભાઈબીજના દિવસે 4600 જેટલા કોલ આવ્યા હતા. ત્યારે આ વર્ષે ઈમરજન્સી કોલની સંખ્યામાં વધારો થઈ શકે છે. શિફ્ટ મુજબ કોલ સેન્ટર પર 250 જેટલા કર્મચારીઓ કામ કરશે. તમામ ફોન કોલનો જવાબ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.    



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.