ગણતંત્ર દિવસે લોન્ચ કરવામાં આવી નોઝલ વેક્સિન,iNCOVACC થઈ લોન્ચ


  • Published By :
  • Published Date : 2023-01-26 17:54:00

દુનિયાભરમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ચીન સહિત અનેક દેશોમાં હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે પહેલા સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ગણતંત્ર દિવસના અવસર પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નાકથી આપવામાં આવતી દેશની પ્રથમ કોરોના વેક્સિનને લોન્ચ કરવામાં આવી છે. આ વેક્સિનને INCOVACC નામ આપવામાં આવ્યું  છે.


કોરોના કેસ વધતા વેક્સિન લેવા પહોંચ્યા લોકો 

કોરોના સંક્રમણને કારણે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકોના મોત પણ  થયા છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળો નથી નોંધાયો. કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોરોના કેસ ન વધે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી રહ્યા છે. 


નાકથી લેવાતી વેક્સિન કરાઈ લોન્ચ 

હજી સુધી વેક્સિન ઈંજેક્શનના માધ્યમથી આપવામાં આવતી હતી. કોરોના વેક્સિનના બે દોઝ તો આપવામાં આવતા પરંતુ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવે છે. કોરોના સંક્રમણ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી ગયા છે. ત્યારે ભારત સરકારે નાકથી લેવામાં આવતી વેક્સિનને લોન્ચ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વેક્સિનને લોન્ચ કરી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.