આવનાર 48 કલાક ખેડૂતો માટે ભારે! કમોસમી વરસાદની કરાઈ છે આગાહી, આ જગ્યાઓ પર આવશે માવઠું!


  • Published By :
  • Published Date : 2023-04-05 09:45:19

રાજ્યમાં ઉનાળાના સમયમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ફરી એક વખત આવનાર 48 કલાક ખેડૂતો માટે ભારે સાબિત થઈ શકે છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. જે મુજબ બુધવારના રોજ બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે જ્યારે ગુરૂવારે  ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.


આ જગ્યાએ વરસી શકે છે વરસાદ 

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે. જો વરસાદની આગાહીની વાત કરીએ તો રાજ્યના ઉત્તર અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. 


માવઠાએ ખેડૂતોને રડાવ્યા!

કમોસમી વરસાદ થવાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. એમ પણ ખેડૂતોને પોષણસમા ભાવ તો મળતા નથી એમાં પણ માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. માર્કેટિંગ યાર્ડથી એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જે જોઈને આપણે દુખી થઈ જઈએ. મહામહેનતે ઉભો કરેલો પાક પાણીમાં પલળી જાય. કોઈ વખત ખેતરમાં પાણી ભરાવવાને નુકસાન વેઠવાનો વારો આવે છે તો કોઈ વખત માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા મૂકાયેલા પાક પલળતા જોઈ ખેડૂતોને રડવાનો વારો આવે છે.        




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!