Pakistanથી સામે આવ્યા એવા સમાચાર જે હચમચાવી દે તેવા છે, ડોક્ટરોએ જ મહિલા પર આચર્યું દુષ્કર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 11:38:48

મહિલા પર અત્યાચાર થતા હોવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે વિચારવા પર મજબૂર કરી દેતી હોય છે. ત્યારે એક દિલને કંપાવી દે તેવી ઘટના પાકિસ્તાનથી સામે આવી છે જેમાં ડોક્ટરે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. સારવાર માટે આવેલી મહિલાને ડોક્ટરે પોતાના હવસનો શિકાર બનાવ્યો છે. મહિલાને પહેલા ડોક્ટરે ડ્રગ્સ પીવડાવ્યું અને પછી તેની પર દુષ્કર્મ આચર્યું. મળતી માહિતી અનુસાર આ ઘટના સિંધ પ્રાંતના ટંકો મુહમ્મદ સિટીમાં આ ઘટના બની છે. આ મામલે ડોક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ પણ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે આવેલી મહિલા પર ડોકટરોએ આચર્યું દુષ્કર્મ 

પુરૂષોના હવસનો શિકાર અનેક મહિલાઓ બનતી હોય છે. ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આપણને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે કે આપણે નવી પેઢીને શું સંસ્કાર આપી રહ્યા છે. સમાજને કઈ દિશા તરફ આગળ વધારી રહ્યા છીએ. પાકિસ્તાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડોક્ટરોએ સારવાર માટે આવેલી મહિલાને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે મહિલાનો સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. 


પોલીસને આ મામલે કરવામાં આવી જાણ 

આ માહિતી સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એવી પણ માહિતી સામે આવી છે જેમાં જે મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે હિંદુ છે અને જે ડોક્ટરે આ દુષ્કૃત્ય કર્યું છે તે મુસ્લીમ છે. ખાનગી હોસ્પિટલમાં કિડની સારવાર માટે આવેલી મહિલા પર ડોક્ટરોએ નજર બગાડી હતી. આ મામલે પોલીસને જાણ પણ કરવામાં આવી છે અને ત્વરીત પગલા લેવામાં આવશે તેવી વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.  


જો ડોક્ટર જ આવા દુષ્કૃત્યો કરે તો? 

આમાં હિંદુ મુસ્લીમની વાત નથી કરવી પરંતુ એ પ્રોફેશનની વાત કરવી છે જેની પર લોકો સૌથી વધારે ભરોસો રાખતા હોય છે. ડોક્ટરો જ્યારે હેવાન બનીને આવા દુષ્કર્મ આચરે ત્યારે? ડોક્ટરનું પ્રોફેશન એવું છે ધર્મ-નાતી બધાથી ઉપરથી છે. સારવાર માટે આવતા દર્દીને નાત જાત કે ધર્મ નથી પૂછવામાં આવતો. જેમ શાળામાં શિક્ષકો માટે બધા વિદ્યાર્થીઓ સરખા હોય છે તેમ હોસ્પિટલમાં આવતા દરેક દર્દી ડોક્ટર માટે એક સમાન હોય છે. જો ડોક્ટર જ દુષ્કર્મ આચરશે તો આ સમાજમાં કેવા દાખલા પ્રસ્થાપિત કરી રહ્યા છીએ તે એક પ્રશ્ન છે     



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?