રીબડામાં બુધવારે મોડી સાંજે બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-22 12:13:05

રીબડા નજીક બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલીના વિડીયો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પટેલ અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વાતની જાણ રાજકોટ પોલીસને થતા SP અને DYSP સહિતનો મોટો પોલીસ કાફલો ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને એકઠા થયેલા લોકોને વિખેરી મામલો શાંત પાડ્યો હતો. તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર રીબડા ગામે મોટી માથાકૂટ થયાના મેસેજ વાયરલ થયો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી જણાવામાં આવી રહ્યું છે કે મેસેજ વાયરલ થતાં રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયા હતા. કોઈ અનિચ્છનિય બનાવ નથી બન્યો.


અનિરૂદ્ધસિંહ તેમજ જયરાજસિંહે આપી પ્રતિક્રિયા 

આ ઘટનાને લઈ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમજ પણ જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સાંજે 7:00 વાગ્યે રીબડા ખાતે મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. અને તેમણે કહ્યું હતું કે તેમની સાથે રમેશભાઈ ટિલાલા પણ જોડાશે. તેમણે કહ્યું કે રીબડાના શખ્સો દ્વારા જે પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત અનિરૂદ્ધસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી કે માજી ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા મારા પરિવારને બદનામ કરવાનું કાવતરૂ કરવામાં આવ્યું છે. 


શું હતો સમગ્ર મામલો 

ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું હતું. ચૂંટણીના પરિણામ બાદ જયરાજસિંહ જૂથે અને સહદેવસિંહ જૂથે એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું. આ સમાધાનથી રિબડા જૂથને પણ મોટો ફટકો પડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!