Ahmedabadની આ શાળાથી સામે આવ્યા સમાચાર જેણે બધાના રૂંવાડા ઉભા કરી દીધા! પાંચ વર્ષના બાળક પર શિક્ષકે ઉપાડ્યો હાથ!


  • Published By :
  • Published Date : 2023-08-19 13:33:43

બાળક શાળામાં ઘર જેટલો સમય વિતાવતા હોય છે. શાળામાં બાળકના ભવિષ્યનું ઘડતર થાય છે. ગુરૂને બીજી માનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત શાળાઓથી અનેક વખત એવા કિસ્સાઓ  સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ પર જુલમ કરવામાં આવતો હોય છે. નાના ફૂલ જેવા બાળકોને માર મારવામાં આવતો હોય છે. ત્યારે અમદાવાદની એક શાળાથી કિસ્સો સામે આવ્યો છે જેમાં 5 વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. વિદ્યાર્થીના માતા-પિતાનો આક્ષેપ છે કે શિક્ષકે બાળકને એટલા માટે માર્યું કે તેને વાંચતા નતું આવડતું! એવી પણ માહિતી સામે આવી છે જેમાં બાળકના શરીર પર ઈજાઓ જોવા મળી છે.   

 


બાળકને માર માર્યા હોવાનો વાલીઓનો આક્ષેપ  

અમે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી શાળાની છે. શક્તિ વિદ્યાલયમાં સિનિયર કે.જીમાં ભણતા પાંચ વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. માતા પિતાનો એવો આક્ષેપ છે કે બાળકને શિક્ષકે માર્યો છે, બાળકના શરીર પર પણ ઈજાઓ દેખાય છે. મહત્વનું છે કે આ અંગેની જાણ થતાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી રહી છે. 



શિક્ષક દ્વારા મારવામાં આવેલો માર બન્યો ચર્ચાનો વિષય     

એક તરફ શિક્ષકોના એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં રૂચિ જાગે તેવી રીતે ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સરળ રીતે, અનોખા અંદાજમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે તો બીજા તરફ આવા શિક્ષકો પણ હોય છે જે બાળકો પર હાથ ઉપાડતા હોય છે. સત્ય શું છે તે તો આવનાર દિવસોમાં સામે આવશે પરંતુ શિક્ષકે નાના બાળક પર હાથ ઉપાડ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માની પણ લઈએ કે બાળકે કોઈ ભૂલ કરી હશે, પરંતુ બાળક પર અત્યાચાર કરવો, બાળકને માર મારવાનો અધિકાર કોઈને નથી.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.