Ahmedabadની આ શાળાથી સામે આવ્યા સમાચાર જેણે બધાના રૂંવાડા ઉભા કરી દીધા! પાંચ વર્ષના બાળક પર શિક્ષકે ઉપાડ્યો હાથ!


  • Published By :
  • Published Date : 2023-08-19 13:33:43

બાળક શાળામાં ઘર જેટલો સમય વિતાવતા હોય છે. શાળામાં બાળકના ભવિષ્યનું ઘડતર થાય છે. ગુરૂને બીજી માનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત શાળાઓથી અનેક વખત એવા કિસ્સાઓ  સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ પર જુલમ કરવામાં આવતો હોય છે. નાના ફૂલ જેવા બાળકોને માર મારવામાં આવતો હોય છે. ત્યારે અમદાવાદની એક શાળાથી કિસ્સો સામે આવ્યો છે જેમાં 5 વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. વિદ્યાર્થીના માતા-પિતાનો આક્ષેપ છે કે શિક્ષકે બાળકને એટલા માટે માર્યું કે તેને વાંચતા નતું આવડતું! એવી પણ માહિતી સામે આવી છે જેમાં બાળકના શરીર પર ઈજાઓ જોવા મળી છે.   

 


બાળકને માર માર્યા હોવાનો વાલીઓનો આક્ષેપ  

અમે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી શાળાની છે. શક્તિ વિદ્યાલયમાં સિનિયર કે.જીમાં ભણતા પાંચ વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. માતા પિતાનો એવો આક્ષેપ છે કે બાળકને શિક્ષકે માર્યો છે, બાળકના શરીર પર પણ ઈજાઓ દેખાય છે. મહત્વનું છે કે આ અંગેની જાણ થતાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી રહી છે. 



શિક્ષક દ્વારા મારવામાં આવેલો માર બન્યો ચર્ચાનો વિષય     

એક તરફ શિક્ષકોના એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં રૂચિ જાગે તેવી રીતે ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સરળ રીતે, અનોખા અંદાજમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે તો બીજા તરફ આવા શિક્ષકો પણ હોય છે જે બાળકો પર હાથ ઉપાડતા હોય છે. સત્ય શું છે તે તો આવનાર દિવસોમાં સામે આવશે પરંતુ શિક્ષકે નાના બાળક પર હાથ ઉપાડ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માની પણ લઈએ કે બાળકે કોઈ ભૂલ કરી હશે, પરંતુ બાળક પર અત્યાચાર કરવો, બાળકને માર મારવાનો અધિકાર કોઈને નથી.. 



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .