સ્ક્રીનિંગ કમિટીના સભ્યો રાજસ્થાન વિવાદમાં વ્યસ્ત બનતા અટવાયા ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:16:11

થોડા સમય બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ રાજસ્થાનમાં ચાલતા પોલિટિકલ ડ્રામાની સીધી અસર ગુજરાત કોંગ્રેસની કામગીરી પર પડી રહી છે. આ વખતે ઉમેદવારો સાથે ચર્ચા કરી ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા. પરંતુ આ પ્રક્રિયા માટે જે કમિટીની રચના કરવામાં આવી હતી. તે કમિટીના પ્રભારી રાજસ્થાનમાં ચાલતા વિવાદનું નિરાકરણ લાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. 

Congress to conduct screening of its leaders to avoid defections ahead of  Gujarat polls - Elections News


રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે અટવાયા ઉમેદવારોના નામ 

પહેલી વખત કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. 1થી 3 ઓક્ટોબર દરમિયાન આ કમિટી ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવાની હતી. ઉમેદવારોના નામ મોકવાના હતા. રિપોર્ટ મળ્યા બાદ, જે નામ પર હાઈ કમાન્ડ મોહર લગાવે તેનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવવાનું હતું. પરંતુ રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે આ પ્રોસેસ અટકી ગઈ ગુજરાત કોંગ્રેસના સિનિયર ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને આ પ્રકિયા માટે સમય નથી મળી રહ્યો. તેઓ બંને જણા હાલ રાજસ્થાનમાં ચાલતા ઘમાસાણમાં ફસાઈ ગયા છે. અને વિવાદને શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે. સ્ક્રીનીંગ કમિટીના સભ્યો વ્યસ્ત થતા ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામ અટવાયા છે જેને કારણે કોંગ્રેસે હજી મૂરતિયાના નામ જાહેર નથી કર્યા.          

Congress working unitedly under party leadership says Rajasthan Cabinet Min Raghu  Sharma | India News




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.