પંજાબના મુખ્યમંત્રીની હાજરીમાં થઈ શકે છે આ બેઠકો માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-11 15:37:32

આમ આદમી પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર વધી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ અનેક જનસભા સંબોધવાના છે. ઉપરાંત આપે અનેક બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. 

ಗುಜರಾತ್‌ ಚುನಾವಣೆಗೆ ಮಾಜಿ ಪತ್ರಕರ್ತ ಇಸುದನ್ ಗಧ್ವಿ ಎಎಪಿಯ ಸಿಎಂ ಅಭ್ಯರ್ಥಿ |  Prajavani

આ બેઠકો પર આપે નથી કર્યા ઉમેદવારોને જાહેર 

ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી આમ આદમી પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપ તેમજ કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે અનેક બેઠક એવી જ્યાંથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. આમ આદમી પાર્ટીએ દ્વારકા, સિદ્ધપુર, ખેરાલુ, વિસનગર, માણસા, ઉધના અને ખંભાળિયા માટે ઉમેદવારોના નામની ઘોષણા નથી કર્યા. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે પણ જાહેરાત નથી કરવામાં આવી. 

Patiala Clash: પટિયાલા હિંસા દુર્ભાગ્યપૂર્ણ, બોલ્યા ભગવંત માન, આઈજીએ  કહ્યું- અફવાઓને કારણે થઈ ઘટના

પંજાબના મુખ્યમંત્રી આવશે ગુજરાતના પ્રવાસે 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતી કાલથી 4 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં જંગી સભા સંબોધવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન 9  રોડ-શો કરવાના છે ઉપરાંત જનસભા પણ સંબોધવાના છે. 12 તારીખે તેઓ તળાજા અને મહુવામાં રોડ-શો કરવાના છે. 13 નવેમ્બરે તેઓ સોમનાથ મંદિરની મુલાકાત લેવાના છે જે બાદ રાજુલા, ઉનામાં રોડ શો કરવાના છે. 14 તારીખે તેઓ તલાલા, વિસાદવદરમાં રોડ શો કરવાના છે. અને પ્રવાસના અંતિમ દિવસે પોરબંદરમાં રોડ શો કરવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલો પ્રચાર મતમાં પરિવર્તિત થશે કે નહીં તે પરિણામ આવશે તે બાદ જ ખબર પડશે.    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.