હિમાચલ પ્રદેશ માટે આજે થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-10 14:36:42

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે આગમી પાંચ વર્ષ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પદને લઈ અનેક ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. પરંતુ પ્રતિભા સિંહ અને સુખવિંદર સિંહ સુક્ખુનું નામ મુખ્યમંત્રીના રેસમાં આગળ દેખાઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રીના ચહેરાને લઈ રિપોર્ટ સબ્મિટ કરશે અને તે બાદ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. આજે વિધાયક દળની બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. 

આ નેતાઓ પણ છે મુખ્યમંત્રી બનવાની રેસમાં   

2022 વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણી પરિણામમાં કોંગ્રેસે 68 બેઠકોમાંથી 40 સીટ મળી છે. બહુમતી મળવાને કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને લઈ કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગઈ કાલે પણ શિમલા ખાતે આવેલા કાર્યાલયમાં બેઠકનું  આયોજન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીના પદને લઈ અનેક દાવેદારો છે જેને લઈ કોંગ્રેસમાં મુખ્યમંત્રીને લઈ મથામણ ચાલી રહી છે. એવી માહિતી પણ મળી રહી છે કે કોંગ્રેસ વિધાયક સુખવિંદર સિંહ સુક્ખુ મુખ્યમંત્રી માટે પહેલી પસંદ છે. આ રેસમાં મુકેશ અગ્નિહોત્રી, રાજેન્દ્ર રાણા જેવા નામો પણ ચર્ચાઈ રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઉપ-મુખ્યમંત્રી પણ બનાવામાં આવશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.