અમદાવાદ શહેરનું નહીં બદલાય નામ! ભાજપના સાંસદે કહ્યું જો નામ કર્ણાવતી થશે તો અમદાવાદ શહેરનો જતો રહેશે આ દરજ્જો! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-08 10:21:38

અમદાવાદનું નામકરણ કરવાનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ભાજપની સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી રાખવામાં આવે તેવી માગ વારંવાર ઉઠાવવામાં આવી હતી. નામકરણને લઈ અનેક વાતો કરવામાં આવી હતી પરંતુ હવે તે ચર્ચા, તે મુદ્દાનો અંત આવ્યો હોચ તેવું લાગી રહ્યું છે. આ વાત ભાજપના સાંસદ હસમુખ પટેલના નિવેદન પર પણથી જાણી શકાય છે. હસમુખ પટેલે જણાવ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો તે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો ગુમાવી દેશે.       


હવે નહીં ઉઠે અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો!

ભાજપ સરકાર દ્વારા અનેક શહેરોના નામ બદલવામાં  આવ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલી શિંદે સરકારે અહિલ્યાનગર રાખવાની જાહેરાત કરી હતી. તે સિવાય શિવરાજ સિંહ ચૌહાણ સરકારે હોશાંગાબાદનું નામ બદલી નર્મદપુરમ કરી દીધું. તે પહેલા યોગી આદિત્યનાથે અલાહબાદનું નામ બદલ્યું હતું. અલાહબાદને આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેરનું નામ પણ બદલવામાં આવે તેવી માગ ઘણા વર્ષોથી સત્તા પર રહેલી ભાજપ સરકાર દ્વારા ઉઠાવવામાં  આવતી હતી. પરંતુ આ વાતનો અંત આવી ગયો હોત તેવું લાગી રહ્યું છે. 


ભાજપના સાંસદે કહ્યું અમદાવાદનું નામ કર્ણાવતી થશે તો....

ભાજપના સાંસદ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે મળેલો દરજ્જો ગુમાવી દેવાશે.યુનેસ્કો દ્વારા જે ડોઝિયર મોકલવામાં આવ્યું છે તેમાં અમદાવાદ લખવામાં આવ્યું છે. ક્યાંય પણ કર્ણાવતી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો શહેરનું નામ બદલવામાં આવશે તો અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી દેશે. મહત્વનું છે ઘણા વર્ષો પહેલા અમદાવાદને આ દરજ્જો મળ્યો છે. ત્યારે સાંસદના આ નિવેદન પરથી એવું લાગે છે કે અમદાવાદનું નામ બદલાવો મુદ્દો હવે નહીં ઉઠે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.