Jammu-Kashmirમાં શહીદ થયેલા મેજર આશિષનો પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો, અપાઈ અંતિમ વિદાય, ઉમટી જનમેદની, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-15 13:08:07

દરેક માટે પોતાનો પ્રાણ ઘણો વ્હાલો હોય છે. સૌથી વધારે ધ્યાન આપણે પોતાના પ્રાણોનું રાખતા હોઈએ છીએ. પરંતુ સીમા પર દેશની રક્ષા કરતા વીર જવાનો પોતાના પ્રાણો કરતા દેશને વધારે પ્રેમ કરતા હોય છે. દેશ પર જ્યારે જ્યારે સંકટ આવે છે ત્યારે દેશના વીર જવાનો પોતાના પ્રાણની આહુતી આપતા પહેલા નથી વિચારતા. દેશ માટે, દેશની રક્ષા માટે હસતા હસતા શહીદીને સ્વીકારે છે.

 

શહીદ મેજર આશિષને અપાઈ અંતિમ વિદાય

ત્યારે થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણ થતા અનેક વીરોએ પોતાના જીવનની આહુતિ આપી દીધી હતી. દેશ માટે શહીદ થઈ ગયા હતા. આતંકી સાથે થયેલી અથડામણમાં મેજર આશિષ ધૌંચક શહીદીને પામ્યા હતા. ત્યારે આજે તેમનો પાર્થિવ દેહ તેમના માદરે વતન પાણીપત પહોંચ્યો હતો. માદરે વતન જ્યારે મૃતદેહ લવાયો ત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. 


અથડામણમાં આતંકવાદીઓ તો મરે છે પરંતુ જવાનો પણ શહીદ થાય છે    

આપણે આરામથી ઉંઘી શકીએ તે માટે દેશના સીમાની રક્ષા કરવા માટે જવાનો ખડેપગે રહે છે. લોકોના સુરક્ષાની જવાબદારી જવાનોના શિરે હોય છે. જમ્મુ કાશ્મીરથી અનેક વખત સમાચાર આવતા હોય છે કે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં આટલા આતંકવાદીઓને મારવામાં સેનાને સફળતા મળી. એ સમાચાર વાંચીને આપણને આનંદ થાય છે. પરંતુ અનેક વખત આતંકવાદી સાથે થયેલી અથડામણમાં દેશ પોતાના વિર સપૂતોને પણ ખોઈ બેસે છે. 



આતંકી સાથેની અથડામણમાં વધુ એક જવાન થયા શહીદ!

અનેક વીર જવાનો શહીદ થતા હોય છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકી અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં હજી સુધી ત્રણ જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ વધુ એક જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અથડામણમાં વધુ એક જવાન વીરગતિને પામ્યા છે. 


વીરને અંતિમ વિદાય આપવા ઉમટી જનમેદની 

આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાણીપતના મેજર આશિષ પણ વીરગતિને પામ્યા છે. મેજરના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો છે જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવશે. વીરના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં  જનમેદની ઉમટી હતી. હજારો લોકો હાજર રહ્યા હતા જ્યારે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, રાજકીય સન્માન સાથે વીરને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ મેજર આશિષનો જન્મદિવસ આવતા મહિને છે. પોતાના જન્મદિવસ પર નવા ઘરમાં પણ પ્રવેશ પરિવાર કરવાનો હતો પરંતુ તે પહેલા જ મેજર અનંતની યાત્રાએ નિકળી ગયા. ન માત્ર પરિવારમાં શોકની લાગણી છે પરંતુ દેશના અનેક નાગરિક એવા છે જે આ સમાચાર સાંભળીને, આ દ્રશ્યો જોઈને ભાવુક થઈ ગયા હશે. વીર શહીદોની શહાદતને સો-સો સલામ છે.



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.