ડુંગળી પકવતા ખેડૂતોને થતા નુકસાન અંગે ભાવનગરના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રી સાથે મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-02-28 09:22:00

ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. પોતાના પાકના પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતને પણ નુકસાન થઈ રહ્યું છે. જેને લઈ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જીતુ વાઘાણીની સાથે એપીએમસીના આગેવાનો પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.  ખેડૂતોની વાત સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સરકાર આ વખતે આ અંગે જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


મુખ્યમંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત  

ડુંગળી પકવતા ખેડતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના નીચા ભાવ મળવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્યની સાથે એપીએમસીના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા સરકારે ગત વર્ષે 100 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. 31674 ખેડૂતોને કુલ 69.26 કરોડની સહાય ચૂકવી છે. જેને કારણે સરકાર આ વખતે પણ સહાય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 


ભગવંત માને કરી હતી ડુંગળી ખરીદવાની કરી વાત 

ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીની સાથે મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પણ આ પ્રશ્નને લઈને ખેડૂત આગેવાનોએ કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી. જે બાદ કૃષિમંત્રી દ્વારા આ વાતને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી તૈયારી દર્શાવી હતી. ત્યારે ડુંગળીની ખરીદીને લઈ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું અને ગુજરાતમાં પાકતી ડુંગળીની ખરીદી કરવાની વાત કહી હતી.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.