Swaminarayan સંપ્રદાયને લઈ ભાજપના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, વિવાદીત ટિપ્પણીનો વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-11 13:33:40

છેલ્લા થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય ચર્ચામાં છે. સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમા નીચે લાગેલા ભીંતચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો. એ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ દર્શાવવામાં આવ્યા હતા. વિવાદ તો શાંત થઈ ગયો, ભીંતચિત્રો પણ હટાવી દેવામાં આવ્યા છે. પંરતુ તે બાદ પણ અનેક નેતાઓની બાઈટ, પ્રતિક્રિયાઓ, ભાષણો વાયરલ થઈ રહ્યા છે જેને લઈ બળતામાં ઘી હોમાતું હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્યનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વામીનારાયણ સંપ્રદાયને લઈ ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયોમાં તેમણે સ્વામીનારાયણ સંસ્થાને લઈ કહ્યું કે : સ્વામીનારાયણ પૈસા ભેરા કરવાની સંસ્થા છે. 

ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આપ્યું વિવાદિત નિવેદન 

સાળંગપુર હનુમાનજી મંદિરથી શરૂ થયેલો વિવાદ સરકારની મધ્યસ્થી બાદ શાંત તો થઈ ગયો પરંતુ સોશિયલ મીડિયા પર અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ , ભાષણો વાયરલ થઈ રહ્યા છે, વિવાદ દરમિયાન ધારાસભ્યો, પદાધિકારીઓ કોઈ પણ નિવેદન આપવાથી બચી રહ્યા હતા પરંતુ હવે નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે હું એકવાર સોખડા ગયો હતો, સત્સંગમાં મેં કીધુ હતું કે તમે સદગુરુને માનો છે ? સ્વામિનારાયણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. 

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ આપ્યું વિવાદાસ્પદ નિવદેન 

તે સિવાય સ્વામીનારાયણ સંપ્રદાયના એક સંતનો વીડિયો પણ વાયરલ થયો જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા આપી છે. માફી માગતા આચાર્ય દિનેશ પ્રસાદે કહ્યું કે 'મને અસુરી શક્તિઓ બોલાવી જાય છે આવું'. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સ્વામિનારાયણ સંત વલ્લભ સ્વામી એવું કહ્યું હતું કે ચલમ પીને પોતાને સનાતની  કહેતા હોય તો અમે છાતી  કાઢીને  તિલક  કરીએ  છીએ એટલે  તમારા કરતા પહેલા અમે સનાતની  છીએ.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.