અમદાવાદ અકસ્માત : થાર ગાડી ચલાવનાર સગીર પણ એટલો જ જવાબદાર જેટલો તથ્ય પટેલ! જાણો સગીર વિરૂદ્ધ શું કાર્યવાહી કરાઈ?


  • Published By :
  • Published Date : 2023-07-28 11:16:11

જ્યારે કોઈ મોટી ઘટના બને છે ત્યારે આપણે બીજી અનેક ઘટનાઓ ભૂલી જતા હોઈએ છીએ. મોટી ઘટના બાદ આપણે અનેક ઘટનાઓને અથવા તો ઘટનાના મૂળને જ નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ ઈસ્કોન ખાતે બનેલા ભયંકર અકસ્માતની જેમાં 10 લોકોના મોત થયા છે. જ્યારથી બ્રિજ અકસ્માત થયો છે ત્યારથી બધા લોકોની માગણી કે તથ્ય પટેલને કડકમાં કડક સજા થવી જોઈએ, એવી સજા મળવી જોઈએ જેને જોઈ કોઈ પણ આવી ઘટના સર્જતા પહેલા સો વાર વિચારે. પરંતુ આપણને આ ઘટનામાં એક વાર પણ એ સવાલ ના થયો કે એ રાત્રે જે અકસ્માત થયો તે થારવાળા અકસ્માતને કારણે થયો!  


ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને કારણે ભેગા થયા હતા લોકો! 

20 જુલાઇ રાત્રે 12 -12.30નો સમય હતો ઇસ્કોન બ્રિજ પર ફૂલ સ્પીડમાં એક થાર ગાડી આવી આગળના ડમ્પર સાથે અથડાઇ અને થાર ગાડીના અલગના ભાગના કુચચા બોલાવી નાખ્યા આ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસના બે કર્મચારી અને એક હોમગાર્ડ જવાન તુરંત ઘટનાસ્થળે પહોંચી જાય છે. તે થાર ચાલક ત્યાંથી ભાગી જાય છે પછી લોકો અકસ્માત જોવા માટે ત્યાં ભેગા થાય છે. બસ એ સમયે એક બીજો નબીરો 142 કરતાં વધુ સ્પીડમાં જૈગુઆર કારમાં આવે છે, ત્યાં ઉભેલા ટોળાં પર ગાડી ચઢાવી દે છે અને 10 માસૂમ લોકોના જીવ જતા રહે છે. એ નબીરો બીજો કોઈ નહીં તથ્ય પટેલ હતો . અકસ્માત બાદ તથ્યને લોકો મારે છે, તેના પપ્પા આવીને એને ભીડથી બચાવીને હોસ્પિટલ લઈ જાય છે અને પછીની બધી ઘટના આપણને ખબર છે. પણ આ ઘટનાની પાછળ એ વાત તો ઢંકાઈ ગઈ કે એ થાર ચલાવનાર કોણ છે અને તે અચાનક ક્યાં ગયો? ત્યારે આખી ઘટના અંગે તપાસ કરવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે એ થાર ચાલક એક સગીર હતો. 16 વર્ષની તેની ઉંમર હતી. પછી ફરિયાદ નોંધવામાં આવી.


થારગાડીના ચાલક વિરૂદ્ધ ફરિયાદ કરાઈ દાખલ! 

થારવાળી ઘટનામાં પીએસઆઈ બલભદ્રસિંહ પોતે ફરિયાદી બન્યાં. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, ઈસ્કોન બ્રિજ પર થાર ગાડીનો અકસ્માત થયો છે તેવું પોલીસ સ્ટેશન ખાતે જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે જઈને જોતાં ખબર પડી કે, ઈસ્કોન બ્રિજ ઉપર કર્ણાવતી ક્લબ તરફથી રાજપથ ક્લબ તરફના રોડ પર આ થાર ગાડી અકસ્માત થયેલી હાલતમાં પડી હતી. આ સમયે ઘટના સ્થળ પર થાર ગાડીનો ચાલક ત્યાં હાજર હતો. તેણે આ થાર ગાડી ગફલતભરી રીતે ચલાવીને ડમ્પરની પાછળ ભટકાવી દીધી. સગીર વયના ચાલકને વાહન આપનાર તેના પિતા મેલાજી ઠાકોર જે મુમતપુરા ગામમાં રહે છે તેમના વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ છે. અને IPC 189 કલમ હેઠળ કોર્ટમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે મંજૂરી મંગાઈ છે. પણ  સમગ્ર મામલામાં હજી સુધી થાર માલિક તેમજ  સગીર ચાલકના પિતા સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. 


થારગાડી વિરૂદ્ધ ક્યારે થશે કાર્યવાહી? 

આ મામલે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, થારના સગીર ચાલક સામે નોંધાયેલી ફરિયાદમાં તેના પિતાને આરોપી બનાવવામાં આવશે. સગીરવયના આરોપીના પિતાને બોલાવવામાં આવ્યા બાદ તેમને નોટિસ આપીને જવા દીધા છે. તેમની સામે હવે કાર્યવાહી થશે.


જેટલો ગુન્હેગાર તથ્ય છે એટલો જ દોષી થાર ચાલક પણ છે!

તથ્યએ જે કર્યું એ ગંભીર ગુન્હો છે, પણ શું આ બધાની વચ્ચે આપણે એ ભૂલી જવાનું કે જે થારના અકસ્માતને કારણે આ સમગ્ર ઘટના બની તે પણ એક અમીર બાપનો નબીરો હતો. તેના પપ્પાએ એને 16 વર્ષની ઉંમરે થાર જેવી મોંઘી ગાડી તો આપી દીધી, પણ ચાવી આપતા પહેલાએ ના વિચાર્યું કે આની હાઈસ્પીડ અને નાદાનીના કારણે અનેક લોકોના જીવ જઈ શકે છે. તમે અમીર છો, તમારા પાસે પૈસા છે, તમારે તમારી ઓલાદોને નાની ઉંમરમાં ગાડી દોડાવવા આપવી છે એને અલગ રસ્તા બનાવીને આપો. આ કેસમાં આમ જોવા જઈએ તો સૌથી મોટા અપરાધી તો એ 16 વર્ષના સગીરના પિતા છે, જેમણે પોતાના છોકરાને 16 વર્ષની ઉંમરે ગાડીની ચાવી આપી દીધી. જો તથ્ય ગુન્હેગાર છે તો એટલો જ ગુન્હેગાર એ 16 વર્ષનો સગીર પણ છે. એના હાથે ભલે કોઈનો જીવ નથી ગયો પણ એ આ અકસ્માતનો નિમિત બન્યો છે. અને એના પપ્પાને પણ એટલી જ કડક સજા મળવી જોઈએ. 


પૈસાના દમ પર નબીરાઓ બન્યા છે બેફામ!  

આ બધા અમીર બાપના દીકરાને એવું લાગે છે કે એ બેફામ ગાડીયો રસ્તા પર ચલાવશે અને તેમને કોઈ કઈ નહીં કરી શકે. કારણ કે તેમના બાપા પાસે પૈસા છે. બધુ ખરીદી શકે છે એ ભલેને પછી સિસ્ટમ જ કેમ ન હોય!  આવા નબીરાઓને હમણા નહીં રોકવામાં આવેને તો આજે 10 ઘરના ચિરાગો ઓલવાયા છે, કાલે એનાથી પણ ભયંકર અકસ્માત સર્જાઈ શકે છે. આ બધા વચ્ચે એ બધા અમીર માં-બાપને એક અપીલ છે કે નાની ઉંમરે બાળકોને ચાલી આપતા પહેલા તેમને ગાડી કેવી રીતે ચલાવવી એ શીખવાડવું પડશે. નહીંતર આવા અકસ્માતો સર્જાતા રહેશે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!