H3N2ના વધતા કેસને લઈ આરોગ્ય મંત્રાલયે કરી બેઠક, જાન્યુઆરીમાં નોંધાયા આટલા H3N2ના કેસ


  • Published By :
  • Published Date : 2023-03-11 14:47:03

કોરોના બાદ દેશ પર H3N2 વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. અનેક લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે હવે H3N2ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વાયરસના સંક્રમણને કારણે બે જેટલા દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કેસને લઈ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વધતા H3N2ના કેસને ધ્યાનમાં રાખી એક બેઠક બોલાવી હતી. આ અંગે રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી છે. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.


જાન્યુઆરીમાં નોંધાયા હતા 3084 કેસ 

H3N2 વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થવાને કારણે બે લોકોના મોત થઈ ગયા છે. સતત વધતા કેસોને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ત્યારે આ વધતો વાયરસ પણ આવનાર દિવસોમાં ચિંતા વધારી શકે છે. મળતી માહિતી અનુસાર જાન્યુઆરી મહિનામાં H3N2 વાયરસના 3084 કેસ સામે આવ્યા છે. 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરી હતી બેઠક 

વધતા સંક્રમણને લઈ શનિવારે નીતિ આયોગે બેઠક બોલાવી છે. જેમાં રાજ્યોના સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યોને આ અંગે સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવશે. રાજ્યોને કઈ રીતે સપોર્ટ કરવામાં આવે તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં વધતા H3N2 ઈન્ફ્લુએન્જા વાયરસના વધતા કેસને લઈ બેઠક બોલાવી હતી. વધતા કેસને લઈ રાજ્યોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સ્થિતિ અંગે એડવાઈઝરી જાહેર કરી છે


લોકોને સાવચેત રહેવા કરવામાં આવી છે અપીલ 

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઘર-ઘરમાં શરદી-ઉધરસના તેમજ તાવના કેસો નોંધાઈ રહ્યા છે. બાળકો પણ આ વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા દિવસો પહેલાં આ અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. વારંવાર હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો તેમજ સામાજીક અંતર રાખવું તે બાબતનું ધ્યાન રાખવા કહેવાયું હતું.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!