વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે અને ક્યાં વરસી શકે છે વરસાદ ?


  • Published By :
  • Published Date : 2023-07-03 12:20:06

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસાનું જોર ઘટશે પરંતુ વરસાદી વાતાવરણ તો યથવાત જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે એટલે કે ત્રીજી તારીખે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાદરા નગર હવેલી, મહીસાગર, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત ચાર જુલાઈના રોદ આણંદ, પંચમહાલ, મહિસાગર, દીવ, ખેડા, અરવલ્લી,દમણ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાંચ જુલાઈના રોજ મહીસાગર,રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઝ, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  6 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે ભાવનગર, દ્વારકા, બોટાદ, જુનાગઢ, ખેડા, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારો માટે કરવામાં આવી છે. તો સાતમી તારીખના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તેમજ રાજ્યના અનેક વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે.    


અંબાલાલ પટેલે કરી વરસાદને લઈ આગાહી

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જે મુજબ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7થી 12 જુલાઈની વચ્ચે વરસાદનું જોર વધી શકે છે. જેને લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે. તે ઉપરાંત આગામી દિવસો દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા તેમના દ્વારા કરવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે જેને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.  મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે. ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે નીરની આવક થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!