વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે અને ક્યાં વરસી શકે છે વરસાદ ?


  • Published By :
  • Published Date : 2023-07-03 12:20:06

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસાનું જોર ઘટશે પરંતુ વરસાદી વાતાવરણ તો યથવાત જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે એટલે કે ત્રીજી તારીખે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાદરા નગર હવેલી, મહીસાગર, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત ચાર જુલાઈના રોદ આણંદ, પંચમહાલ, મહિસાગર, દીવ, ખેડા, અરવલ્લી,દમણ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાંચ જુલાઈના રોજ મહીસાગર,રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઝ, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  6 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે ભાવનગર, દ્વારકા, બોટાદ, જુનાગઢ, ખેડા, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારો માટે કરવામાં આવી છે. તો સાતમી તારીખના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તેમજ રાજ્યના અનેક વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે.    


અંબાલાલ પટેલે કરી વરસાદને લઈ આગાહી

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જે મુજબ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7થી 12 જુલાઈની વચ્ચે વરસાદનું જોર વધી શકે છે. જેને લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે. તે ઉપરાંત આગામી દિવસો દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા તેમના દ્વારા કરવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે જેને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.  મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે. ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે નીરની આવક થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.