ચક્રવાતને લઈ હવામાન વિભાગે આપી અપડેટ! ગંભીર રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત! જાણો માછીમારોને શું આપવામાં આવી છે સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-07 12:46:00

ગુજરાત પર ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. તેજ ગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું સક્રિય થયું હતું અને હવે તે વિકરાળરૂપ લઈ રહ્યું છે. આ વખતે બાંગ્લાદેશ દ્વારા નામ આપવામાં આવ્યું છે. બિપોરજોય શબ્દનો અર્થ સમજીએ તો થાય છે સંકટ. વાવાઝોડાને ધ્યાનમાં રાખી ગુજરાતના કાંઠાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.        



ગુજરાત નજીકથી પસાર થશે ચક્રવાત! 

કમોસમી વરસાદ ઉનાળા દરમિયાન વરસ્યો હતો. ત્યારે હવે ચક્રવાતનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. સાઈક્રોલન તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. તે સિવાય બંદરો પર પણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર સાઈક્લોન બિપોરજોય પૂર્વમધ્ય અને દક્ષિણમધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. દરિયામાં ઉંચા મોજા ઉંછળશે. ગુજરાતના દરિયા કિનારા નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે. 11 અથવા 12 જૂનની આસપાસ ગુજરાત નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.


અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ કરી આગાહી!

વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવા સંકેતો હાલ દેખાઈ રહી છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરિયા કાંઠે વાવાઝોડું ટકરાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 4 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને  કારણે તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. 



આજ સાંજ સુધી કેરળમાં પહોંચશે ચોમાસું!

દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે. આ મામલે IMDના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ આ અંગે આગાહી કરતા હતું કે, આગામી 24 કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. આજ સાંજ સુધી કેરળમાં ચોમાસું પહોંચી શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.