અખંડ ભારતના નક્શા સામે નેપાળના મેયરે રાખ્યો ગ્રેટર નેપાળનો નકશો! નેપાળે હિમાચલ-બંગાળના થોડા ભાગને પોતાનો ગણાવ્યો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-09 16:10:28

નવા સંસદ ભવનને લઈ વિવાદ આપણા દેશમાં ચાલ્યો હતો. ઉદ્ધાટન કાર્યક્રમનો બહિષ્કાર અનેક રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. સંસદ ભવનની તસવીરો પણ સામે આવી હતી. નવી સંસદ ભવનથી વધારે જો કદાચ કોઈ વસ્તુએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હોય તો તે છે અખંડ ભારતનો નકશો. પાડોશી દેશોએ આના પર સવાલો પણ ઉઠાવ્યા છે. નેપાળની રાજધાની કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહે ગ્રેટર નેપાળનો નકશો જાહેર કર્યો છે. નકશામાં હિમાચલના પશ્ચિમ કાંગડાથી પશ્ચિમ બંગાળના પૂર્વી તિસ્તા સુધીના વિસ્તારને બૃહદ નેપાળના ભાગ તરીકે વર્ણવવામાં આવ્યો છે. નેપાળના મેયરે આ નક્શો ત્યારે જાહેર કર્યો છે જ્યારે ભારતના સંસદ ભવનમાં અખંડ ભારતનો નક્શો મૂકવામાં આવ્યો છે. 


સંસદ ભવનમાં રાખવામાં આવ્યો છે અખંડ ભારતનો નક્શો!

ભારતની સીમાઓ અનેક દેશોની સીમાઓ સાથે અડેલી છે. આંતરાષ્ટ્રીય સંબંધોની વાત કરીએ તો ભારતની પોતાના પાડોશી દેશોમાં મોટા ભાગના દેશ સાથે સારા સંબંધો છે. ચીન અને પાકિસ્તાન આમાં અપવાદ છે પણ બાકીના દેશના નેતા બદલાતા જાય તેમ સંબંધોમાં પણ બદલાવો આવતા જાય છે. ચીનની સામ્રાજ્યવાદી નીતિના કારણે તેને પોતાના 14 જેટલા પાડોશી દેશો સાથે વાંધો છે. કારણ કે ચીન માને છે કે ચીન સિવાયનો વિસ્તાર પણ ચીનનો જ છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે આપણા નવા સંસદ ભવનમાં અખંડ ભારતનો નકશો લાગ્યો. દેશવાસીઓએ તેને વધાવ્યો કારણ કે ભારતની ગૌરવની વાત હતી કે એક સમયે ભારત આટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હતું. પણ હવે તેની જ જેમ નેપાળે પણ બૃહદ નેપાળનો ફોટો જાહેર કર્યો છે જેના પર વિવાદ થઈ ગયો છે. 


કાઠમાંડુના મેયરે નેપાળનો નક્શો પોતાના કાર્યાયલમાં મૂક્યો!

એક રીતે જોવા જઈએ તો નેપાળે તો નહીં પણ નેપાળના કાઠમાંડુના મેયર બાલેન્દ્ર શાહે ગ્રેટર નેપાળનો નકશો પોતાના કાર્યાલયમાં મૂક્યો છે. આ નકશામાં હિમાચલ પ્રદેશના પશ્ચિમી કાંગડાથી લઈ પશ્ચિમ બંગાળના પૂર્વી તિસ્તા વિસ્તારને ગ્રેટર નોયડાનો ભાગ કહ્યું છે. બાલેન્દ્ર શાહનું આવું કરવા પાછળનું કારણ હોઈ શકે છે ભારતની સંસદમાં લાગેલો અખંડ ભારતનો નકશો. જો કે નેપાળ સરકારે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી, પણ નેપાળ કોંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ કહ્યું હતું કે બૃહદ નેપાળના નકશાને સત્તાવાર રીતે જાહેર કરવો જોઈએ. તેમનું કહેવું હતું ભારતને પોતાનો સાંસ્કૃતિક નકશો જાહેર કરવાનો અધિકાર છે તો નેપાળને પણ પોતાનો સાંસ્કૃતિક નકશો જાહેર કરવાને હક હોવો જોઈએ અને ભારતને આમાં કોઈ વાંધો પણ ન હોવો જોઈએ. 


એસ જયશંકરે આ મામલે કરી સ્પષ્ટતા 

આ મામલે વિરોધ થતાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટતા આપી હતી. એસ. જયશંકરે કહ્યું હતું કે આ ખાલી એક સાંસ્કૃતિક નકશો છે, જે સમ્રાટ અશોકના સામ્રાજ્યને દર્શાવે છે. આ નકશાને રાજનીતિ સાથે જોડવાનો કોઈ અર્થ નથી. નેપાળ અમારો મિત્ર દેશ છે અને તેમણે આ વાત સમજવી જોઈએ. 


શું છે ગ્રેટર નેપાળ? 

જો કે તેની સામે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ જે હમણા જ ભારત મુલાકાતે આવ્યા હતા તેમણે કહ્યું હતું કે મેં આ નકશો જોયો ત્યારે મુદ્દો ઉઠાવ્યો હતો. ગ્રેટર નેપાળની વાત કરીએ તો તે પણ પોતાના દેશને મહાન માને છે અને તેનું માનવું છે કે તેમના દેશનો અમુક ભાગ ભારત અને બાંગ્લાદેશમાં છે. આ નકશો ત્યારનો છે જ્યારે એંગ્લો નેપાળી યુદ્ધ પછી બ્રિટીશ સરકાર અને નેપાળની ગોરખા રાજશાહી વચ્ચે સુગૌલી સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ એ જ સંધી છે જેમાં નેપાળનો મિથિલાનો વિસ્તાર ભારતના વિસ્તારમાં જોડાઈ ગયો હતો. 


2020માં પણ પોતપોતાના દેશની સરહદ મામલે બંને દેશ વચ્ચે વિવાદ થયો હતો. કારણકે 2019માં ભારતે નેપાળના નકશાનો વિરોધ કરીને તેને પોતાનો ભાગ કહ્યો હતો જ્યાર બાદ નેપાળે પણ નકશો જાહેર કર્યો હતો અને આવું થયા બાદ બંને દેશ વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. ભારતની સરહદમાં આવતા લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાના વિસ્તારો પર નેપાળ આજ પણ પોતાનો દાવો કરે છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!