Suratમાં બની સામુહીક આત્મહત્યાની ઘટના, પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવ્યું અને પછી ફાંસો ખાધો અને પોતે આત્મહત્યા કરી લીધી.!


  • Published By :
  • Published Date : 2024-03-08 17:22:46

આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ પ્રેમ પ્રકરણમાં પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તો કોઈ આર્થિક સંકડામણને કારણે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોઈ પારિવારીક કારણોસર તો કોઈ પૈસાની લેવડદેવડને કારણે આવા પગલા ભરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. જે લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે જ્યાં પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે મરતા પહેલા મૃતકે વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં અનેક કારણો આપ્યા હતા. મૃતકોના નામની વાત કરીએ તો સોમેશ ભિક્ષાપતિ, ઋષિરાજ અને પત્ની નિર્મલે જીવનને ટૂંકાવ્યું છે.  


ત્રણ લોકોએ કર્યો આપઘાત!

સુરતમાં વધુ એક સામુહીક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવી, બાદમાં પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે આ ઘટના બની હતી તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા હતા. એવી પણ માહિતી સામે આવી હતી કે તેના ભાઈને ફોટો પણ મોકલ્યો હતો પરંતુ તેમણે ફોટો જોયો ન હતો. 


પોસ્ટમોર્ટમ માટે પોલીસે મોકલી આપ્યો મૃતહેદ!

જ્યારે તેમણે આ ફોટો જોયો ત્યારે તે ઘરે દોડી આવ્યા હતા. મૃતકના ભાઈએ જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા. જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો. ઘટનાની જાણ તેમણે પોલીસને કરી અને હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કયા કારણોસર આવું કદમ ઉઠાવ્યું હોય તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. આ ઘટનાને લઈ પોલીસે કહ્યું કે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઇલ પણ મળ્યો છે. એક અનુમાન પ્રમાણે પિતાએ પત્ની અને બાળકને તકીયાથી મોઢું દબાઈ દીધું હોય અથવા તો ઝેરી દવા પીવડાવી લીધી હોય. આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.  મહત્વનું છે કે શા માટે પરિવાર દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યો તે તપાસમાં ખબર પડશે..  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.