કોંગ્રેસના કિરીટ પટેલ અને રઘુ દેસાઇનું ભાજપમાં જવાનું બજાર ગરમ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:09:18

ગુજરાતમાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. ચુંટણી પહેલા ઘણા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. જો સૂત્રોનું માનીએ તો હજી પણ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડી શકે છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પણ કેસરીયો ધારણ કરે તેવી વાત વાયુવેગે ફેલાઈ રહી છે પરંતુ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે  જમાવટ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું કે, "મારા નામની માત્ર અફવાઓ ફેલાઈ રહી છે.મને બદનામ કરવામાં આવી રહ્યો છે. હું કોઈ પક્ષમાં જવાનો નથી" 


કિરીટ પટેલ મુખ્યમંત્રીને મળ્યા હતા 

ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલે થોડા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની હતી. તેઓ ભાજપમાં જોડાશે તો પોતાની ટિકિટ જશે તેવો ભય પાટણના નેતાઓમાં હોવાનું જાણવા મળે છે. તેઓ જો ભાજપમાં જાય તો પાટણ ભાજપના દાવેદારોની આશા પર પાણી ફરી શકે છે 


કોણ છે કિરીટ પટેલ?

કિરીટ પટેલને પાટણના દિગ્ગજ પાટીદાર નેતા કહેવાય છે અને હાલ તેઓ પાટણના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પાટણ પર ભાજપનો છેલ્લા 27 વર્ષથી કબજો હતો. પરંતુ 2017 માં થયેલા પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી અને કોંગ્રેસ તરફથી રહેલા કિરીટ પટેલે ભાજપના રણછોડ દેસાઇને 25 હજાર જેટલા મતથી હરાવ્યા હતા. આટલી જંગી લીડથી પ્રથમ વખત જ કોઇ ઉમેદવાર વિજયી થયા હતાં. જે ભાજપ માટે મોટો ઝટકો હતો.


રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઇ ભાજપમાં જશે ?

રઘુ દેસાઇ કોંગ્રેસમાંથી પાટણના રાધનપુરના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં રાધનપુરથી કોંગ્રેસમાં રહેલા અલ્પેશ ઠાકોર જીત્યા હતા અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા 2019 માં પેટા ચુંટણી કરવામાં આવી હતી જેમાં અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસમાં રહેલા રઘુ દેસાઇની જીત થઈ હતી...જોકે અત્યારે પક્ષ પલટાની સીજનમાં રઘુ દેસાઇ પણ ભાજપમાં જોડાય તેવું વાતાવરણ રાધનપુરમાં ગરમાયું છે. હાલ સુધી તો ભાજપે પાટણ અને રાધનપુરમાં કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી જેના કારણે પણ અને તર્ક વિતર્ક સર્જાઇ રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.