અમદાવાદમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા કાઢવામાં આવી પદયાત્રા, અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે જેલમાં થાય છે ચેડા?


  • Published By :
  • Published Date : 2024-07-30 18:27:34

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે.. અરવિંદ કેજરીવાલના અનેક વખત સમાચાર સામે આવતા હોય છે. જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ છે તેવી વાતો અનેક વખત સામે આવતી હોય છે. ત્યારે આજે ઈન્ડિયા ગઠબંધન દ્વારા પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રામાં ધારાસભ્ય ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા,  તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે

આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદમાં પદયાત્રાનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈ પદયાત્રાનું આયોજન કર્યું હતું. છેલ્લા થોડા સમયથી અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને તેમની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે જેલમાં ભાજપના અત્યાચારના કારણે અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ રહી છે.



મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ કર્યા અર્પણ

અમદાવાદ ખાતે આ પદયાત્રા આમ આદમી પાર્ટીના કાર્યાલયથી નીકળી હતી અને ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી. ત્યાં આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલની તબિયત સારી થાય તે માટે તેમણે પ્રાર્થના કરી હતી. ગોપાલ ઈટાલિયાએ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા.   



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.