માલધારી સમાજે રાજ્ય સરકાર સામે ફરી બાયો ચઢાવી, માલધારી સમાજ હવે મહારેલી યોજી કરશે શક્તિ પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2023-12-17 18:50:33

માલધારી સમાજની માંગણીઓ પૂરી ન થતા સમાજના અગ્રણીઓ લાલઘુમ થયા છે, ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રખડતા ઢોર નિયંત્રણ વિધેયકને લઈને માલધારીઓ પહેલેથી જ આક્રમક મોડમાં છે. આ મુદ્દે સરકાર અને માલધારીઓ સામસામે આવી ગયા હતા. જેના બાદ માલધારીઓએ આંદોલન છેડ્યુ હતું. અને ત્યારબાદ ઢોરવાડામાં ગાયોની પરિસ્થતિ જોઈને માલધારી સમાજમાં રોષ છે. ત્યારે પોતાના સમાજની માંગણીઓ પૂરી ન થતા માલધારી સમાજ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના પશુપાલકો રાજ્યમાં જબરદસ્ત આંદોલન કરશે. માલધારી સમાજ રાજ્યભરમાં મહારેલીનું આયોજન કરશે.


માલધારીઓ સાથે મારામારીના 32 બનાવો


રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓના પગલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી કાઢી હતી. બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ પોલિસી 1 સપ્ટેમ્બર 2023થી અમલમાં આવી છે. પોલિસીનું અમલીકરણ શરૂ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રખડતાં ઢોર પકડવાની કામગીરી સોંપવામાં આવી હતી. એ દરમિયાન છેલ્લા 83 દિવસોમાં AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ, કર્મચારીઓ સાથે માલધારીઓઓના ઘર્ષણ અને મારામારીના 32 જેટલા બનાવો બન્યા છે.


ગૌચરને લઈને માલધારી સમાજ રોષ


સરકારની રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગૌચર જમીનને લઈને માલધારી સમાજ ભારે રોષ છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણની નવી પોલીસી જાહેર કરી હતી. આ મામલે માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ કહ્યું હતું કે આ લડત રખડતા પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની નથી. પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પૂરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!