માલધારી સમાજે રાજ્ય સરકાર સામે ફરી બાયો ચઢાવી, માલધારી સમાજ હવે મહારેલી યોજી કરશે શક્તિ પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2023-12-17 18:50:33

માલધારી સમાજની માંગણીઓ પૂરી ન થતા સમાજના અગ્રણીઓ લાલઘુમ થયા છે, ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રખડતા ઢોર નિયંત્રણ વિધેયકને લઈને માલધારીઓ પહેલેથી જ આક્રમક મોડમાં છે. આ મુદ્દે સરકાર અને માલધારીઓ સામસામે આવી ગયા હતા. જેના બાદ માલધારીઓએ આંદોલન છેડ્યુ હતું. અને ત્યારબાદ ઢોરવાડામાં ગાયોની પરિસ્થતિ જોઈને માલધારી સમાજમાં રોષ છે. ત્યારે પોતાના સમાજની માંગણીઓ પૂરી ન થતા માલધારી સમાજ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના પશુપાલકો રાજ્યમાં જબરદસ્ત આંદોલન કરશે. માલધારી સમાજ રાજ્યભરમાં મહારેલીનું આયોજન કરશે.


માલધારીઓ સાથે મારામારીના 32 બનાવો


રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓના પગલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી કાઢી હતી. બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ પોલિસી 1 સપ્ટેમ્બર 2023થી અમલમાં આવી છે. પોલિસીનું અમલીકરણ શરૂ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રખડતાં ઢોર પકડવાની કામગીરી સોંપવામાં આવી હતી. એ દરમિયાન છેલ્લા 83 દિવસોમાં AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ, કર્મચારીઓ સાથે માલધારીઓઓના ઘર્ષણ અને મારામારીના 32 જેટલા બનાવો બન્યા છે.


ગૌચરને લઈને માલધારી સમાજ રોષ


સરકારની રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગૌચર જમીનને લઈને માલધારી સમાજ ભારે રોષ છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણની નવી પોલીસી જાહેર કરી હતી. આ મામલે માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ કહ્યું હતું કે આ લડત રખડતા પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની નથી. પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પૂરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે.



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..