મંદિરમાં આવતા ભક્તોને લઈ મદ્રાસ હાઈકોર્ટે લીધો મહત્વનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-03 13:04:09

મંદિરમાં જતા ભક્તોને લઈ મદ્રાસ હાઈકોર્ટે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકાય. મોબાઈલ ફોર્ન સાથે આવતા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં મળે. ભક્તોએ પોતાના મોબાઈલ મંદિર પરિસર બહાર રાખવા પડશે. મંદિર દ્વારા મોબાઈલ ફોનને રાખવાની વ્યવસ્થા કરવી પડશે. પૂજા સ્થળની પવિત્રતા અને ગરિમા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

હિજાબ વિવાદ પર કોઈ ન કહી શક્યું તે કહ્યું મદ્રાસ હાઈકોર્ટે, પૂછ્યો દેશની  ચેતનાને ઢંઢોળતો આ ધારદાર સવાલ I Madras High Court expressed concern over  Hijab controversy

હવેથી મંદિરોમાં મોબાઈલ સાથે નહીં કરી શકાય પ્રવેશ 

દેશના અનેક મંદિરોમાં, મોબાઈલ લઈ મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ સાથે એન્ટ્રી નહીં કરી શકાય. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે, મંદિરોમાં ભક્તો દ્વારા મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે, આ પગલું એટલા માટે લેવામાં આવ્યો છે કે ધાર્મિક સ્થળની પવિત્રતા જળવાઈ રહે. લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે મંદિરોમાં ફોન ડિપોઝીટ લોકરની વ્યવસ્થા કરવાની રહેશે, જેથી આવનાર ભક્તોના ફોન સચવાયેલા રહે.    




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.