સ્થાનિકોએ આર્મીના જવાનને એવા માર્યા કે હાથ પગ તોડી નાખ્યા! જાણો ક્યાં બની આ ઘટના અને શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-06-05 17:28:52

જ્યારે આપણે દેશની સીમાની સુરક્ષા કરતા આર્મી જવાનને જોઈએ છીએ ત્યારે આપણી છાતી ગૌરવાંગિત થઈ જતી હોય છે. એક જવાન પોતાના દેશ માટે પોતાનું આખું જીવન અર્પી દે છે. પણ આજે સમાચાર આવ્યા તે દેશભક્તને આઘાત પહોંચાડી શકે છે. સમાચાર એ છે કે અમરેલીના નાની કુંડળ ગામે આર્મીના જવાનને સ્થાનિક લોકોએ એટલે ઢોર માર માર્યો હતો કે તે હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા છે અને તેમના સાથીદારોને પણ ઢોર મારવામાં આવ્યો છે. 


શું છે સમગ્ર ઘટના?

અમરેલીમાં ગ્રામજનોએ આર્મી જવાનને માર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સ્થાનિકોએ એટલો માર માર્યો કે સારવાર માટે આર્મી જવાનને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વિગતવાર વાત કરીએ તો ઈડીએફ રીન્યુબલ એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ 2021માં રાયપર ગામના શીવકુભાઈ ગોવાળિયાની બાવન વીર એન્ટરપ્રાઈઝને પવનચક્કીની સિક્યુરીટી, વાહનો અને મેન પાવર કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 


શીવકુભાઈ ગોવાળિયા સરખી રીતે સર્વિસ આપતા નહોતા તો કંપનીએ તેમને ફોન કરીને સરખી કામગીરી કરવા કહેતા રહેતા પણ શીવકુભાઈ કંપનીનું કોઈ કામ કરતા ન હતા અને કંપનીને હેરાન કરતા હતા. કંપનીએ કડકાઈથી કહ્યું હતું  તો શીવકુભાઈ ગુસ્સે ભરાઈ ગયા હતા અને પવનચક્કી જ બંધ કરાવી દીધી હતી. શીવકુભાઈના હોબાળાના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે કંપનીના અધિકારીઓ દિલ્હીથી અમરેલીના નાની કુંડળના સબસ્ટેશન ઉપર નિરીક્ષણ માટે મુલાકાત કરવા ગયા હતા. 


કંપનીના સાહેબો આવવાના છે તે વાતની જાણ રવિ ગીડાનામના વ્યક્તિએ શીવકુભાઈને ફોન કરીને કહી દીધું હતું અને બધાએ મળીને કંપનીના લોકોને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે કંપનીના લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યારે ધારિયા, લોખંડના પાઈપ, લાકડી, છરી અને ખંજર જેવા હથિયારથી 10-12 આરોપીઓએ હુમલો પૂર્વ આર્મી અધિકારી કનવરજીતસિંહ સહિત બે અધિકારીઓ પર કર્યો હતો. આરોપીઓએ કંપનીના લોકોને એવો માર માર્યો હતો કે તેમના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે અને બે બીજા અધિકારીને શરીરના અનેક ભાગો પર ઈજા થયેલી છે. 


ઈડીએફના અધિકારીઓની વાત કરીએ તો તેમના નામ કનવરજીતસિંહ, કિશન કુમાર, ઓમકાર સિંહ છે. હુમલો કરનારમાં શિવકુભાઈ ગોવલિયા, રાજકુભાઈ ગોવલિયા, મંગુભાઈ ગોવલિયા, હરેશભાઈ ગીડા, રવિ ગીડા, વનરાજ વાળા, સત્યવ્રત ગીડા, પ્રતાપ ગીડા, અજીત ગીડા  અને આરબી ખાચર સહિત ચાર પાંચ લોકોનું નામ છે. આ લોકોએ લાકડી, લોખંડના સળિયા, છરી, ધારિયા, ખંજર જેવા હથિયારોથી કનવરજીતસિંહ, કિશનકુમાર અને ઓમકાર સિંહ પર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ તેમને મારી મારીને અધમૂઆ કરી દીધા હતા. અને માર મારીને ભાગી ગયા હતા. 


આર્મી જવાન પર કેવી રીતે કોઈ ઉપાડી શકે હાથ?

હુમલામાં કનવરજીતસિંહને બંને પગમાં જોરદાર ઈજાઓ થઈ છે. ઓમકાર અને કિશન કુમારને માથામાં અને શરીરમાં અનેક ઈજાઓ થઈ છે. ત્રણેય અધિકારીઓની હાલ રાજકોટમાં સારવાર ચાલી રહી છે. અમરેલી પોલીસે 307 કલમ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, હાલ આરોપીઓ પોલીસ પકડની બહાર છે અને પોલીસ આરોપીઓને પકડવા પ્રયાસ કરી રહી છે. ઘટનાની જાણ થતા આર્મીના બીજા અધિકારીઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો કે આર્મીના જવાન પર કોઈ કેમ હાથ ઉઠાવી શકે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!