સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં ગયા આટલા લોકોના જીવ! જાણો અમદાવાદ અકસ્માત સાથે કેવી રીતે જોડાયેલા છે આ સમાચાર


  • Published By :
  • Published Date : 2023-07-21 11:22:01

ગઈ કાલે અમદાવાદના એસજી હાઇવે પર ભયાનક અકસ્માત થયો બધા લોકો અલગ અલગ અલગ તર્ક આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે જ્યારે હાઈવે પર આવી ઘટનાઓ થાય ત્યારે ટોળું થઈને ઊભા રહેવું ના જોઈએ. એ ટોળાની ભૂલ છે કે એ ત્યાં હતા. પરંતુ આજ કાલના છોકરાઓને રિલ બનાવી જીવન કરતા પણ અમૂલ્ય લાગે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં જીવ ગુમાવી દેતા હોય છે. આ ઘટનામાં આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જે યુવાનો ત્યાં આવ્યા હતા તે બધા શું સાચે મદદ કરવા આવ્યા હતા.  

સોશિયલ મીડિયાના ચક્કરમાં જાય છે લોકોનો જીવ

એવું માનીએ કે જે યુવાનોના મોત થયા તેમાંથી અનેક લોકો સોશિયલ મીડિયાના ચક્કરમાં અકસ્માતની રિલ બનવા ગયા હશે. પણ એ કઈ રીતે નકારી શકીએ કે જે તથ્યએ કર્યું એમાં એનો કોઈ વાંક ન હતો. કારણ કે એ પણ તો પોતાના થ્રીલ માટે 150 કિમી પ્રતિકલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. તથ્યને અમે ઓળખતા નથી ના અમે તેના દુશ્મન છીએ. પરંતુ સોશિયલ મીડિયાના ચક્કરમાં લોકોના જીવ જાય તે તો વ્યાજબી નથી ને? યુવાનો સોશિયલ મીડિયામાં રોલો પાડવા માટે કોઈ પણ હદે જાય છે.


અકસ્માત થતાં લોકો આવ્યા હશે મદદમાં 

હવે બીજા એંગલથી જોઈએ તો જે વીડિયો અકસ્માતનો સામે આવ્યો છે તે વીડિયો પણ કોઈ બાઇક ચાલકે ઉતાર્યો છે એના હેલમેટ અને 360 વાળા કેમેરાથી એવું લાગી રહ્યું છે કે તે બાઈકર હશે અને રેસિંગ કરતો હશે. તેના કેમેરામાં આ બધુ કેદ થયું છે. એટલે એસજી હાઇવે હોય કે પછી રિવરફ્રન્ટ તમારા રેસિંગ કરવા કે રીલ બનવા કે સ્ટંટ કરવા માટેની જગ્યા નથી. રસ્તા પર સામાન્ય લોકો પણ ગાડીઓ ચલાવે છે, રાહદારીઓ પણ ચાલે છે. માની લઈએ છે કે ત્યાં જે લોકો ભીડ કરીને ઊભા છે તે લોકોનો વાંક છે પણ એ લોકોને થોડી ખ્યાલ હતો કે આટલી સ્પીડમાં કોઈ નબીરો તેમને કચડી નાખશે.


દરેક નબીરાઓ ખરાબ નથી હોતા... 

તે લોકોની ભૂલ છે તો એ ભૂલ આપણે બધાએ ભેગા મળીને સુધારવાની છે કે આવી ઘટનાઓમાં માત્ર રીલ બનવા માટે ભીડ ભેગી ના કરો. પણ એ લોકોનો એટલો મોટો ગુનો ન હતો કે તે લોકોને ત્યાં ઉભું રહેવું આટલું બધું ભારે પડશે. ત્યાં ઉપસ્થિત રહેવાની સજા તેમને મોતના રૂપમાં મળશે. માનવ સહજ સ્વભાવ પણ હોય કે કઈ થયું છે તો કોઈને મદદ માટે ઊભા રહીએ, પણ વીડિયો બનાવા માટે પ્લીજ ના ઊભા રહો. તથ્યને ત્યાં લોકોએ માર્યો પણ કરી લોકોનું વલણ તેના માટે અલગ કોઈ શકે કારણ કે તે જેગ્વાર કારમાં હતો લોકો સમજી ગયા કે આ બગડેલા બાપની ઓલાદો છે. એટલે એને વધારે માર્યો . આપના મગજમાં એ વસ્તુ ઘર કરી ગઈ છે કે જેની પાસે રૂપિયો છે તે બધા નબીરાઓ આવા જ હોય છે.   


મૃતકોના પરિવારનું આક્રંદ હોસ્પિટલમાં ગુંજતું હતું... 

તથ્ય પર કાયદેસર જે કાર્યવાહી થવાની છે તે થશે જ પણ આપણે સમજવાનું છે કે આવી ઘટનામાં રીલ ન બનાવી જોઈએ. તથ્યએ જે કર્યું એની એને સજા મળશે પણ આ ઘટનામાં જે પરિવારે તેમના વ્હાલસોયાને ગુમાવ્યા છે તેમનું શું? આ ઘટનામાં પોલીસ કર્મીઓના પણ મોત થયા છે. તે ત્યાં પોતાનું કામ કરવા ઉભા હતા કોઈ રીલ બનાવા ન ઉભા હતા. તે તો પોતાનું કામ જ કરી રહ્યા હતા. જરૂર છે આપણે સભાન થવાની આવી ઘટનાઓથી શીખવાની, નબીરાઓને રોકવાની અને આપણે પણ સમજવાની જરૂર છે કે આવી ઘટનાઓથી. આ ઘટનામાં જ્યારે જમાવટની ટીમ મૃતકોના પરિવારને મળી ત્યારે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ હતી. તથ્યએ જે કર્યુંએ સ્વીકારીય નથી પણ એનાથી પણ તે નિવેદન તેના વકીલે અને તેના પિતાએ આપણને બતાવે છે કે જે સંસ્કાર તેમનામાં છે તે જ સંસ્કાર તેના બાળકમાં આવ્યા છે. તેના પિતાનો એટિટ્યુડ કે મારા દીકરાએ તો કંઈ કર્યું જ નથી, તેનો કોઈ વાંક જ નથી તે પીડાદાયક છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!