મોરબી દુર્ઘટના મામલે આવતીકાલ સુધીમાં જવાબદારોના નામોની લિસ્ટ સોંપાશે


  • Published By :
  • Published Date : 2022-10-31 10:44:47

મોરબી ખાતે ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે જે અધિકારીઓને સમિતિ બનાવીને ઘટનાસ્થળે નિરીક્ષણની જવાબદારી આપી છે તે અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી બાદ મોરબી દુર્ઘટનાના જવાબદારોની ભૂમિકા નક્કી કરી રિપોર્ટ આપશે. આવતીકાલે જેટલા પણ લોકો જવાબદાર છે તેમની ભૂમિકાની માહિતીની લિસ્ટ સોંપી દેવામાં આવશે, સ્થાનિક સમાચારોની માનીએ તો લિસ્ટમાં 150થી વધુ લોકોના નામ સામે આવી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. 


રાજ્ય સરકારની સમિતિ આવી રીતે કરી રહી છે કામગીરી 

મોરબીનો ઝુલતો પુલ તૂડી પડવા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમિટી બનાવી છે તે કમિટીના સભ્ય અને સીઆઈડી ક્રાઈમ આઈજી સુભાષ ત્રિવેદી ગાંધીનગરથી મોરબી પહોંચ્યા છે. આ દુર્ઘટના માટે કુલ પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. ઘટના બાદ ગુજરાતના લો એન્ડ ઓર્ડરના વડા નરસિંહમા કોમાર બચાવ કામગીરી માટે સંકલન કરી રહ્યા છે અને બચાવકામગીરી માટે નિર્દેશ આપી રહ્યા છે. આ પાંચ સભ્યોની સમિતિમાં આર એન્ડ બીના સેક્રેટરી સંદીપ વસાવા, આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈપીએસ અધિકારી સુભાષ ત્રીવેદી, મુખ્ય એન્જિનિયર કે એમ પટેલ અને ડોક્ટર ગોપાલ ટાંકને જવાબદારી સોંપાઈ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.