બોરવેલમાં ફસાઈ માસુમની જીંદગી! જામનગરમાં બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, હાથ ધરાઈ રેસ્ક્યુની કામગીરી


  • Published By :
  • Published Date : 2023-06-03 12:57:28

બાળક રમતા રમતા અનેક વખત એવી મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે જેને કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઈ જતો હોય છે. કોઈ વખત બાળક સિક્કો ગળી જાય છે તો કોઈ વખત રમતા રમતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે જામનગરના તમાચણ ગામમાં અઢી-ત્રણ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. રમતા રમતાં 40 ફૂટ ઉંડા બોરવેલમાં ફસાઈ ગઈ હતી. ત્યારે બાળકીનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. ઓક્સિજન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. 

ખુલ્લા બોરવેલમાં બાળકી ફસાઈ.

(ખુલ્લા બોરવેલમાં પડી બાળકી)  

ગ્રામજનો સહિતનાઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

(બાળકીને બચાવવા શરૂ કરાયું રેસ્ક્યુ)

બોરવેલમાંથી બાળકી બહાર કાઢવા હાથ ધરાયું રેસ્ક્યુ!    

બોરવેલમાં નાના બાળકો ફસાયા હોવાની ઘટના સામે આવી રહી છે. રમતા રમતા બાળક મુસીબતમાં ફસાઈ જતા હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના જામનગરના તમાચણા ગામે આવેલા વાડી વિસ્તારમાં સર્જાઈ છે. રમતા રમતા અઢી-ત્રણ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ અને ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવા ફાયરવિભાગની ટીમ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જે બોરવેલમાં બાળકી પડી ગઈ છે તે 40 ફૂટ ઉંડો છે. મળતી માહિતી અનુસાર બાળકી હાલ 20 ફૂટ નીચે ફસાયેલી છે. બચાવ ટીમ બાળકીને બચાવવા કામગીરી કરી રહી છે. ઓક્સિજન પહોંચાડવાની કામગીરી કરાઈ હી છે. બોરવેલમાં બાળકી ફસાઈ જતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.         

રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

આ રીતે બાળકીને બચાવાશે!

જે બાળકી બોરવેલમાં પડી ગઈ તે શ્રમિક પરિવારની દીકરી છે. મળતી માહિતી અનુસાર પરિવાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. બાળકી રમતી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. બાળકીને બચાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. અગાઉના કિસ્સાઓમાં બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં  આવ્યા છે. ત્યારે આ બાળકીને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા સાઈડમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.