ચીનમાં વધતા કોરોના સંક્રમણને કારણે જાપાન સરકારે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-30 16:37:50

ચીનમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણને લઈ વિશ્વના અનેક દેશોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. અમેરિકા, જાપાન સહિતના દેશોમાં ચીનમાં કોરોના કેસ વધતા પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. જાપાનમાં શુક્રવારે ચીનથી આવતા લોકો માટે ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. 



જાપાનમાં કોરોના ટેસ્ટિંગ વધારાયા   

કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતામાં વધારો થયો છે. લાખોની સંખ્યામાં ચીનના લોકો સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના સંક્રમણને કારણે જાપાન સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જાપાને શુક્રવારે ચીનથી આવતા યાત્રીકો માટે કોરોના ટેસ્ટ કરવાની ફરજ પાડી છે. જાપાનમાં પણ કોરોના સંક્રમણને કારણે લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો પોતાની જાન પણ ખોઈ બેથા છે. 



ચીન સરકારે પ્રતિબંધો હળવા કરાતા વધ્યા કેસ  

ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશો એક તરફ નિયંત્રણો લાદી રહ્યા છે. જાપાન, અમેરિકા સહિતના દેશોમાં કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વણસે નહીં તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ ચીન સરકાર પ્રતિબંધો હળવા કરી રહી છે. ઝીરો કોવિડ પોલિસીનો લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી ચીન સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ વધતા ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જેને કારણે કોરોના કેસમાં એકાએક વધારો થયો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે.       




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.