ચીનમાં વધતા કોરોના સંક્રમણને કારણે જાપાન સરકારે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-30 16:37:50

ચીનમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણને લઈ વિશ્વના અનેક દેશોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. અમેરિકા, જાપાન સહિતના દેશોમાં ચીનમાં કોરોના કેસ વધતા પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. જાપાનમાં શુક્રવારે ચીનથી આવતા લોકો માટે ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. 



જાપાનમાં કોરોના ટેસ્ટિંગ વધારાયા   

કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતામાં વધારો થયો છે. લાખોની સંખ્યામાં ચીનના લોકો સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના સંક્રમણને કારણે જાપાન સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જાપાને શુક્રવારે ચીનથી આવતા યાત્રીકો માટે કોરોના ટેસ્ટ કરવાની ફરજ પાડી છે. જાપાનમાં પણ કોરોના સંક્રમણને કારણે લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો પોતાની જાન પણ ખોઈ બેથા છે. 



ચીન સરકારે પ્રતિબંધો હળવા કરાતા વધ્યા કેસ  

ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશો એક તરફ નિયંત્રણો લાદી રહ્યા છે. જાપાન, અમેરિકા સહિતના દેશોમાં કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વણસે નહીં તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ ચીન સરકાર પ્રતિબંધો હળવા કરી રહી છે. ઝીરો કોવિડ પોલિસીનો લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી ચીન સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ વધતા ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જેને કારણે કોરોના કેસમાં એકાએક વધારો થયો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે