રાજ્યના વિવિધ શહેરોમાં જૈન સમાજે કાઢી વિરાટ રેલી, વડોદરા તેમજ રાજકોટમાં નિકળી રેલી


  • Published By :
  • Published Date : 2023-01-02 15:42:09

શત્રુંજય મહાતીર્થનો મુદ્દો દિવસેને દિવસે વધી રહ્યો છે. જૈનોની આસ્થાના પ્રતિક સમાન ગણાતા શત્રુંજય મહાતીર્થને બચાવવા જૈન સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ, સૂરત ખાતે જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. આજે રાજ્યના અન્ય શહેરોમાં આકરોષ રેલી કાઢવામાં આવી હતી. આજે રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.



રાજકોટ ખાતે પણ કરાયું ભવ્ય રેલીનું આયોજન 

રાજકોટ ખાતે જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં મણિયાર દેરાસર ખાતેથી કલેક્ટર કચેરી સુધી આ રેલી નિકાળવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે ગઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો આવ્યા હતા. શત્રુંજય મહાતીર્થને લઈને તો તેઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ સમેત શિખરને લઈને પણ વિરોધ કરી રહ્યા છે. સમેત શિખરને પર્યટન સ્થળ બનાવાનો જૈન સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે. 


વડોદરામાં જૈન સમુદાય વિરોધમાં આવ્યું રસ્તા પર  

રાજકોટ સિવાય વડોદરા ખાતે પણ જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. શહેરના માંડવી ચાર દરવાજા ખાતેથી આ વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા. કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. શત્રુંજય મહાતીર્થ તેમજ સમેતશિખર મહાતીર્થ રક્ષાર્થે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 




શત્રુંજય મહાતીર્થને બચાવા ઉઠી માગ 

આ રેલીમાં અનેક નારાઓ લાગ્યા હતા જેવા કે જબ તક સૂરજ ચાંદ રહેગા શત્રુંજય કા નામ રહેગા. ઉપરાંત જય જય શ્રી આદિનાથના જય ઘોષ પણ લાગ્યા હતા. સામાન્ય રીતે જૈન સમાજને શાંતિ પ્રિય સમાજ માનવામાં આવે છે તો બીજી તરફ આ સમાજ આંદોલનના માર્ગ પર ચાલી રહ્યો છે. જૈન સમાજનું આંદોલન ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે.          



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.