ફરી ઉઠ્યો કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો, કાયમી શિક્ષકોની ભરતી કરવા C.R .Patilને કરાયો ફોન, કંટાળેલા યુવાનોએ કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-06-11 17:49:33

ગુજરાતમાં લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે.. શાળાઓમાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો જ નથી.. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત આંદોલન કર્યા, સરકારને રજૂઆત કરી. સોશિયલ મીડિયા પર મૂહિમ ચલાવી પરંતુ કાયમી શિક્ષકોની ભરતી ના થઈ.. ટેટ ટાટ પાસ ઉમેદવાર એ હદે કંટાળ્યા છે કે તેમણે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને રજૂઆત કરી હતી..

પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાના અનેક પ્રયત્નો કર્યા.. 

ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા, રિવર્ઝ દાંડી યાત્રાનું આયોજન કર્યું.. તે સિવાય અનેક વખત સચિવાલયને ઘેરવાનો પ્રયત્ન કર્યો.. જ્યારે જ્યારે ધરણા કરવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો જતા હતા ત્યારે ત્યારે તેમનું પોલીસ સાથે ઘર્ષણ થતું હોય તેવા સમાચાર સામે આવતા. આંદોલન, રજૂઆત, ધરણા અનેક વખત કરવામાં આવ્યા પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવ્યો.


કાયમી શિક્ષકોની ભરતીને લઈ સી.આર.પાટીલને કરાઈ રજૂઆત 

ઉમેદવારો આશા રાખીને બેઠા હતા કે ટેટ ટાટ પાસ કરી શિક્ષક બનીશું અને વિદ્યાર્થીઓને ભણાવીશું.. પરંતુ ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં નથી આવતી.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા માટે એક ઉમેદવારે સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને તેમની વ્યથા રજૂ કરી હતી. વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી કરવામાં આવી છે.. દર વખતે વાયદાઓ કરવામાં આવે છે પરંતુ ધીરે ધીરે કરવામાં આવેલા વાયદાઓ ભૂલાઈ જાય છે.. લોકોને adjust થવાની જાણે આદત થઈ ગઈ હોય તેવું લાગે છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે