ચુંટણીમાં ફરી હિન્દુ મુસ્લિમના મુદ્દાની એન્ટ્રી થઈ ચૂકી છે ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-19 19:23:52

ચુંટણીમાં ફરી હિન્દુ મુસ્લિમના મુદ્દાની એન્ટ્રી થઈ ચૂકી છે કચ્છમાં ભાજપના નેતા ચૂંટણી પ્રચારમાં ભાન ભુલ્યા હતા અન તેમણે દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસને હિન્દુ મુલ્સિમ ફ્લેવર આપીને ગુજરાતમાં પરીસી દીધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યાં શિક્ષણ, સુવિધા, સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ પર લોકોના પ્રશ્નો હલ થયા છે કે કેમ તેના પર પ્રચાર કરતા કરતા અચાનક ભાજપના આ નેતાએ મુદ્દો કાંઈક બીજો જ બનાવી દીધો હતો. આવો જાણીએ આસામના મુખ્યમંત્રી એવા હિમંત બિસ્વાએ ગુજરાતમાં શું બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે જો મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં.


હેમંત બિસ્વાનું નિવેદન 

હિમંત બિસ્વા આસામના મુખ્યમંત્રી હોવા ઉપરાંત હાલ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર પ્રસાર માટે આવ્યા છે. તેઓ ગુજરાતના કચ્છમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને સંબોધી રહ્યા હતા. દરમિયાન તેમણે એક તબક્કે વાત કરી અને કહ્યું કે, આફતાબે શ્રદ્ધાબહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી દીધા. પછી તે ટુકડા ક્યાં રાખ્યા ફ્રીજમાં રાખ્યા. શ્રદ્ધાની લાશના ટુકડા ફ્રીજમાં હતા ત્યારે તે પાછો બીજી યુવતીને ઘરે લાવતો અને ડેટિંગ શરૂ કર્યું હતું. જો દેશ શક્તિશાળી નેતા પાસે ન હોય, જે દેશને પોતાની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરોમાં પેદા થશે અને આપણે આપણા સમાજની સુરક્ષા કરી શકીશું નહીં. એટલે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.