વિધાનસભામાં ઉઠ્યો જ્ઞાનસહાયકનો મુદ્દો, પોસ્ટરો લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો અનેક યોજનાનો વિરોધ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-16 15:12:59

ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક બિલ રજૂ કરવામાં આવતા હોય છે. સત્રમાં કોંગ્રેસ વાળા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા અનેક વખત દેખાયા છે. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે સરકારની અનેક યોજનાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટેટ-ટાટના ઉમેદવારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે તેનો મુદ્દો કોંગ્રેસના ધારસભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જ્ઞાન સહાયક ઉપરાંત  કોમન યુનિવર્સિટી એક્ટને લઈને પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

 


કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે અલગ અલગ મુદ્દા

ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે કે ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહી છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે ઉમેદવારો ઘણો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા છે. ચોમાસા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. અદાણીનો મુદ્દો ઉઠાવ્યો છે, જમીન કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જ્ઞાનસહાયકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. બનેરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.